દિલ્હીમાં જેએનયૂમાં હિંસના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે. ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર, અમિત શાહે જેએનયૂ મામલે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી. સાથે જ ગૃહ મંત્રી અમિત શાહે આદેશ આપ્યા કે આઈજી લેવલના એક અધિકારીની કમિટી બનાવીને જલ્દીથી ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપવામાં આવશે.
હુમલાખોર સમગ્ર તૈયારી સાથે આવ્યા હતા
વિદ્યાર્થીઓ સાથે એવી મારમારી કેટલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા
આઇશી ઘોષના માથા પર ગંભીર ઇજા પહોંચી
વિશ્વવિદ્યાલય કેમ્પસમાં માસ્ક લગાવીને આવેલ હુમલાખોર વિદ્યાર્થીઓને ન માત્ર માર્યા પરંતુ કેમ્પસમાં પણ તોડફોડ પણ કરી. બુકાનાધારી સમગ્ર તૈયારી સાથે આવ્યા હતા. કેમ્પસની અંદર વિદ્યાર્થીઓએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, હુમલાખોર સમગ્ર તૈયારી સાથે આવ્યા હતા. ત્યારે આ મામલે તપાસ સંયુક્ત સીપી રેન્ક અધિકારી શાલિની સિંહ કરશે.
વિદ્યાર્થીઓ સાથે એવી મારમારી થઇ કે કેટલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેએનયૂ વિદ્યાર્થી સંઘ (JNUSU)એ દાવો કર્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ હિંસાને અંજામ આપ્યો છે. જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષ પણ પણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં આઇશી ઘોષના માથા પર ગંભીર ઇજા પહોંચી છે.
ABVPએ લેફ્ટ પર આરોપ લગાવ્યા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ લેફ્ટના વિદ્યાર્થી સંગઠનો SFI, આઇસા અને DSF પર ABVPના કાર્યકર્તાઓ પર હુમલો કરવાના આરોપ લાગ્યા છે. ABVPના જેએનયૂ યૂનિટ અધ્યક્ષ દુર્ગેશ કુમારે કહ્યું કે, જેએનયૂમાં એબીવીપીના કાર્યકર્તાઓ પર લેફ્ટના વિદ્યાર્થી સંગઠનો SFI, આઇસા અને DSFથી જોડાયેલ અંદાજિત 400થી 500 લોકોએ હુમલો કર્યો છે. આ હુમલામાં ABVP સાથે જોડાયેલ અંદાજિત 15 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
JNUSUએ ABVP પર લગાવ્યા આરોપ
જેએનયૂએસયૂએ દાવો કર્યો કે સાબરમતી અને અન્ય હોસ્ટેલમાં એબીવીપીએ પ્રવેશ કરી વિદ્યાર્થીઓને માર માર્યો. એબીવીપીએ પથ્થરમારો કર્યો અને તોડફોડ પણ કરી. જોકે, તોડફોડ કરનારા લોકોએ બુકાનો લગાવ્યો હતો. જેએનયૂમાં થયેલ હિંસામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે એઇમ્સમાં દાખલ કરાયા છે.