JNUમાં રવિવાર રાત્રે થયેલી હિંસા મુદ્દે દિલ્હી પોલીસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં દિલ્હી પોલીસે હુમલાખોરોની તસવીર જાહેર કરી છે. જેમાં JNU વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 9 હુમલાખોર છે. તસવીરમાં આરોપીઓના નામ પણ છે. જેમાં JNUના પૂર્વ વિદ્યાર્થી ચુનચુન કુમાર, સુચેતા તાલુકદાર અને પ્રિયા રંજન છે.
અત્યાર સુધીમાં 8 લોકોની ઓળખ થઇ છેઃ દિલ્હી પોલીસ
ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છેઃ દિલ્હી પોલીસ
લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોએ JNUમાં હુમલો કર્યો હતોઃ દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસના એડિશનલ CP એમ.એસ.રંધાવાએ જણાવ્યું કે, અત્યાર સુધી 8 લોકોની ઓળખ થઇ છે. જેમાં ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, ભારદ્વાજ, પ્રિયા રંજન, વિકાસ પટેલ, ડોલન, આઇશી ઘોષ સહિતના નામ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તપાસ મુદ્દે પણ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. હિંસામાં JNUના પૂર્વ વિદ્યાર્થીઓની સંડોવણી છે. જે સંદિગ્ધોની ઓળખ થઇ તેમાં એક પૂર્વ વિદ્યાર્થી છે.
Dr Joy Tirkey, DCP/Crime: Those identified include- Chunchun Kumar, Pankaj Mishra, Aishe Ghosh (JNUSU President elect), Waskar Vijay, Sucheta Talukraj, Priya Ranjan, Dolan Sawant, Yogendra Bhardwaj, Vikas Patel #JNUViolencehttps://t.co/FUzuYeMNwE
દિલ્હી પોલીસે જણાવ્યું કે, જ JNU મામલો ખૂબ સંવેદનશીલ છે. JNUમાં 1 થી 5 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશનનો સમય હતો. રજિસ્ટ્રેશનનો વિરોધ કરવામાં આવી રહ્યાં છે. લેફ્ટ વિદ્યાર્થી સંગઠનો વિદ્યાર્થીઓને ડરાવી રહ્યાં હતા. 5 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. 4 જાન્યુઆરીએ પણ ધક્કામુકીની ઘટના સામે આવી હતી. 4 જાન્યુઆરીએ સર્વરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સર્વર રૂમમાં છેડછાડ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોએ JNUમાં હુમલો કર્યો હતો. પેરિયાર અને સાબરમતી હોસ્ટેલમાં હુમલો કરાયો હતો. બુકાનીધારીઓ જાણતા હતા કે ક્યા ક્યા રૂમમાં જવાનું છે. 4 વિદ્યાર્થી સંગઠનોએ JNUમાં હુમલો કર્યો હતો. SFI, AISF, AISA, DSF સંગઠનોએ હુમલો કર્યો હતો. સર્વર રૂમમાં નુકસાની મુદ્દે કેસ નોંધાયો છે. રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને મારવા મુદ્દે કેસ નોંધાયો છે. હોસ્ટેલમાં ઘુસીને માર મારવા મુદ્દે પણ કેસ નોંધાયો છે.