ફી વધારા સહિત કેટલાક મુદ્દાઓ પર ગત કેટલાક દિવસોથી પ્રદર્શન કરી રહેલ JNUના વિદ્યાર્થીઓ હવે દિલ્હીના રોડ પર ઉતરી આવ્યા છે. યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહના પરિસરથી બહાર આયોજિત કરવામાં આવતા વિદ્યાર્થીઓ પરેશાન છે. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓનું પોલીસ સાથે પણ ભારે ઘર્ષણ થયું.
વિદ્યાર્થીઓએ ફીમાં વધારા અને દીક્ષાંત સમારોહના વિરોધમાં યૂનિવર્સિટીથી લઇને વસંત કુંજ સ્થિત કાર્યક્રમ સ્થળ સુધી માર્ચ કાઢી. આ દરમિયાન દિલ્હી પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત રાખ્યો છે. એટલું જ નહીં બપોરે 12 વાગ્યા બાદ દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે વધુ પોલીસ દળ બોલાવાયું હતું. આ સિવાય વિદ્યાર્થીઓને છુટા પાડવા માટે પાણી મારો પણ કરવામાં આવ્યો.
#WATCH Delhi: A scuffle between the police and protesting students breaks out, as the protest organised by Jawaharlal Nehru Students' Union (JNUSU) over different issues including fee hike, continues outside the university campus. pic.twitter.com/yOlezY9Rjx
દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા. તેમની સાથે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ હાજર રહ્યા. સવારે 8 કલાકે જ વિદ્યાર્થી યૂનિવર્સિટીની એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ પર ભેગા થયા અને ત્યાંથી કાર્યક્રમ સ્થળ સુધી માર્ચ કાઢી.
Delhi: Jawaharlal Nehru Students' Union organises protest over different issues including fee hike, outside university campus. pic.twitter.com/KGU8epEOwD
જણાવી દઇએ કે, આ આંદોલનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આઈસા, એઆઈએસએફ અને એસએફઆઇ તમામ વિદ્યાર્થી સંગઠન ભાગ લઇ રહ્યા છે.
આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે તેઓ દીક્ષાંત સમારોહના કાર્યક્રમ સ્થળની પાસે જ પ્રદર્શન કરશે. એક આંદોલનકારી વિદ્યાર્થીએ કહ્યું કે અમે ગત 15 દિવસથી ફી વધારાનો વિરોધ કરી રહ્યા છીએ. યૂનિવર્સિટીમાં ઓછામાં ઓછા 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે, જે ગરીબ પરિવારો આવે છે. અંતે આ વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાનું ભણતર શરૂ રાખી શકશે?
Delhi: Jawaharlal Nehru Students' Union organises protest over different issues including fee hike, outside university campus. A protester says,'For last 15 days, we're protesting against fee hike. At least 40% students come from poor background,how'll these students study here?' pic.twitter.com/uurYQLNtga