જવાહર નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU)માં સોમવારે સાંજે વિદ્યાર્થીઓની ભીડે વાઇસ ચાન્સલર જગદીશ કુમારના નિવાસ સ્થાનનો ઘેરાવ કર્યો. જગદીશ કુમારે આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓ તેમના ઘરમાં તોડફોડ કરી અને તેમના પત્નીને બંધક બનાવી લીધા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયુ)ના કુલપતીના ઘર સુધી રેલી નિકાળવાનું આહવાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સલરના નિવાસ સ્થાન પહોંચ્યાં અને ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરોય. જેને લઇને સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીઓને રોકી દીધી. જો કે હાલમાં સ્થિતિ કાબુમાં છે.
જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલયના કુલપતીએ ટવિટ કરી જાણકારી આપી કે સાંજે વિદ્યાર્થીઓએ જબરજસ્તી મારા જેએનયુના નિવાસસ્થાનમાં તોડફોડ કરી અને મારી પત્નની કેટલાક કલાક સુધી બંધ બનાવી કેદ કરી રાખી, જ્યારે હું એક બેઠકમાં સામેલ હતો. શું વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ આ વિરોધ સાચો છે? ઘરમાં રહેલી એકલી મહિલાને ડરાવવી?
જવાહર લાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયુ)માં સોમવારે સાંજે લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હંગામા બાદ હવે જેએનયુ વિદ્યાર્થી સંઘ દ્વારા પોતાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. આ સાથે જ જેએનયુ પ્રશાસનના વ્યવહારને દૂર્ભાગ્યપૂર્ણ બતાવ્યું. વિદ્યાર્થી સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓએ કાઢેલી રેલીને હિંસક બતાવી વિદ્યાર્થીઓને બદનામ કરવામાં આવી રહ્યાં છે.