અવાર નવાર વિવાદોમાં રહેતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાંઆવી છે. JNUSU એ 6 ડિસેમ્બરની રાત્રે કથિત રીતે બાબરી મસ્જિદ તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા.
જેએનયૂએસયૂએ 6 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન કર્યું હતું
પ્રદર્શનમાં બાબરી મસ્જિદને પુનઃ બનાવવાની માંગ ઉઠી હતી.
વિદ્યાર્થી સંઘે વિરોધ માર્ચ કાઢીને ભારે સુત્રોચ્ચાર કર્યા
વિવાદોમાં રહેતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, JNU કેમ્પસમાં નવા વિવાદની ચિનગારી ધૂમવા લાગી છે. 6 ડિસેમ્બરની રાત્રે JNUSU દ્વારા વિરોધ કૂચ કાઢવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી, જેના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અહીં હાજર જેએનયુ વિદ્યાર્થી સંઘના કાર્યકર્તાઓ અને ડાબેરી સંગઠનોના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદના પુનઃનિર્માણની માંગ કરી હતી. આ દરમિયાન, વિદ્યાર્થી સંઘના નેતાઓએ "નહી સહેંગે હાશિમપુરા, નહી કરેંગે દાદરી, ફિર બનો બાબરી" જેવા નારા લગાવવામાં આવ્યા હતા, જેને લઈને વિવાદ ઉભો થવાનો છે. બાબરી વિધ્વંસની ઘટનાના 29 વર્ષ બાદ વિદ્યાર્થી સંઘે આ ઘટનાના વિરોધમાં JNU કેમ્પસમાં વિરોધ માર્ચ કાઢીને કહ્યું કે બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ થવી જોઈએ.
પ્રદર્શનમાં બાબરી મસ્જિદને પુનઃ બનાવવાની માંગ ઉઠી હતી.
ઉલ્લેથનીય છે કે, આ વિરોધનું એલાન જેએનયુએસયુ દ્વારા રાત્રે 8.30 વાગ્યે આપવામાં આવ્યું હતું. રાત્રે 8:30 વાગ્યે જેએનયુ કેમ્પસના ગંગા ધાબા પર મોટી સંખ્યામાં ડાબેરી વિદ્યાર્થીઓ ભેગા થયા હતાં અને અહીંથી વિરોધ કૂચ ચંદ્રભાગા હોસ્ટેલ પહોંચી હતી. આ પહેલા પણ ડાબેરી તરફી વિદ્યાર્થીઓ દ્વારા અનેક વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે અને 6 ડિસેમ્બરે ફરી એકવાર ચંદ્રભાગા હોસ્ટેલના દરવાજા પર ડાબેરી તરફી વિદ્યાર્થીઓએ નવો વિવાદ શરૂ કર્યો છે. આ પછી પ્રદર્શન હોસ્ટેલ સુધી પહોંચ્યું, ત્યારબાદ વિદ્યાર્થી સંઘના નેતાઓએ પોતપોતાની વાત રાખી. દરમિયાન જેએનયુ વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ સાકેત મૂને તેમના ભાષણ દરમિયાન કહ્યું કે બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ કરીને ન્યાય લેવામાં આવશે.