દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી(JNU)માં લાગેલ કથિત દેશ વિરોધી નારાઓના મામલે સ્પેશિયલ સેલે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આપી આ મંજૂરી આપી છે. જ્યાર બાદ હવે જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
કનૈયાકુમાર પર ચાલશે રાજદ્રોહનો કેસ
દિલ્હી સરકારના સ્પેશિયલ સેલે આપી મંજૂરી
અન્ય કેટલાક લોકો પર પણ ચાલશે રાજદ્રોહ કેસ
આ મામલે સ્પેશિયલ સેલને કેસ ચલાવવાને લઇને મંજૂરી આપવાની ફાઇલ ઘણા સમયથી લટકી હતી. જોકે હવે દિલ્હી સરકારની મંજૂરી બાદ કનૈયા કુમાર પર રાજદ્રોહની કલમમાં કેસ ચલાવવામાં આવશે. આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલિદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બશીર પર પણ રાજદ્રોહનો કેસ ચલવવાની મંજૂરી આપી દીધી છે.
જોકે, હાલમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ મામલે સુનાવણી થઇ તો દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી દિલ્હી સરકારે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી નથી મળી. જ્યાર બાદ કોર્ટે દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલને આદેશ આપ્યા છે કે તે દિલ્હી સરકારે પત્ર લખીને આના પર વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.
ત્યાર બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કેજરીવાલ સરકારને પત્ર લખ્યો. પત્રમાં કનૈયા કુમાર સહિત અન્ય વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની ફરી મંજૂરી માંગી હતી. જ્યારબાદ હવે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સેલને કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
શું છે મામલો?
9 ફેબ્રુઆરી 2016ના રોજ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી પરિસરમાં નારેબાજીનો વીડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ કેસની તપાસ કરવામાં આવી હતી અને તત્કાલીન જેએનયૂ વિદ્યાર્થીસંઘ અધ્યક્ષ કનૈયા કુમાર સહિત અન્ય વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે કનૈયા કુમાર સીપીઆઈના નેતા છે. હાલમાં જ કનૈયા કુમારે બેગૂસરાયએ સીપીઆઈની ટિકિટથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હાર્યા હતા.