મોદીનાં મંત્રીએ JNU અને જામિયાન તથા પશ્ચિમ યુપીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. JNU અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં વારંવાર થઈ રહેલા વિરોધ અને વિવાદોને પહોંચી વળવાની ઉતાવળમાં ભાન ભૂલી ગયાં કે તે શું બફાટ કરી રહ્યાં છે. તેમનાં નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડ્યો છે.
પ. યુપીને આ બે યુનિમાં 10 ટકા આરક્ષણની માંગ કરતા બફાટ
આ બે યુનિના વિદ્યાર્થીઓને સીધા કરવા ચીમકી આપતો બફાટ
મોદી સરકારનાં મંત્રીઓએ નિશાના પર આ દિવસોમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) અને જામીયા મિલ્લિયા ઈસ્લામિયા છે. મેરઠમાં બુધવારે એક રેલીને સંબોધીત કરતા કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું તે જો તમે ઈચ્છો છો કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU) અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાં દેશવિરોધી નારેબાજી ન થયાં તો ત્યાં પશ્ચિમી ઉત્તર પ્રદેશને 10 ટકા આરક્ષણ આપી દે
શું કહ્યું સંજીવ બાલિયાને ...
સંજીવ બાલિયાને કહ્યું કે ,‘હું રાજનાથજી ને નિવેદન કરીશ કે જે JNU જામિયામાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર થાય છે. તેનો એક જ ઉપાય છે. ત્યાં પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં 10 ટકા આરક્ષણ આપી દો. તમામની ઈલાજ કરી નાંખીશું કોઈની જરુર નહીં પડે. ’