દિલ્હીમાં આવેલ જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં મારપીટ અને હોબાળાની ઘટના સામે આવી છે.
JNUમાં વિદ્યાર્થીઓ અને ગાર્ડ સાથે બઘડાટી બોલી
ફેલોશિપ અને સ્કોલરશિપની માગ સાથે વિદ્યાર્થીઓએ કર્યા હતા ધરણા
વિદ્યાર્થીઓની વર્ષોથી અટવાયેલી સ્કોલરશિપ યુનિવર્સિટી આપતી નથી
દિલ્હીમાં આવેલ જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં મારપીટ અને હોબાળાની ઘટના સામે આવી છે. કહેવાય છે કે, અહીં વિદ્યાર્થીઓ સ્કોલરશિપ લેવા પહોંચ્યા હતા. જે બાદ ત્યાં રહેલા ગાર્ડ સાથે વિદ્યાર્થીઓને બોલાચાલી થઈ હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, ફેલોશિપ ન આપવાના કારણે જેએનયુમાં એબીવીપી સમર્થિત વિદ્યાર્થીઓએ નાણા અધિકારીનો ઘેરાવ કર્યો હતો. ફેલોશિપ જાહેર કરવાને લઈને આ વિવાદ દરમિયાન ABVP સમર્થકોએ નાણા અધિકારીને બે કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા.
થોડી વાર પહેલા એબીવીપી જેએનયુનો એક વીડિયો પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પર શેર કર્યો છે. તેમાં કહેવાયુ છે કે, JNU ના કાર્યકર્તા, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વર્ષોથી અટવાયેલા સ્કોલરશિપ માટે આંદોલન કરી રહ્યા હતા. ત્યારે JNUના સિક્યોરિટી ગાર્ડ તરીકે તૈનાત રેક્યરના ગુંડાઓએ વિદ્યાર્થીઓ પર હુમલા કર્યો હતો.
JNU के रेक्टर के भ्रष्टाचार का खुलासा करने के बाद जब ABVP JNU के कार्यकर्ता JNU के छात्रों के वर्षों से ठप छत्रवृति के लिए आंदोलन कर रहे थे तब JNU के सिक्योरिटी गॉर्ड के रूप में तैनात रेक्टर के गुंडों ने छत्रों पर हमला किया। #JNURector_gunda_hai#JNURector_must_resignpic.twitter.com/2NWM6iOu2K
વિદ્યાર્થીઓનો આરોપ છે કે, વર્ષોથી અટવાયેલા ફેલોશિપ લેવા જ્યારે ABVP, JNUના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના ઢીલ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે ભ્રષ્ટ રેક્ટરના આદેશ પર સૂર્ય પ્રકાશે વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસા આચરી હતી.
વિદ્યાર્થીઓએ એવું પણ કહ્યું કે, યુનિવર્સિટી પાસે પૈસા હોવા છતાં પણ મહિનાઓથી પ્રશાસન વિદ્યાર્થીઓને પૈસા ખાઈ રહી છે. તેમનું કહેવુ છે કે, અમારી ફેલોશિપ અને સ્કોલરશિપ માગવા પર અમારી સાથે ગેરવર્તણૂંક કરે છે અને ઢોર માર મારવામાં આવે છે.