મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં રવિવારે થયેલી હિંસાને લઇને કહ્યું, 'મને 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાની યાદ આવી ગઇ...બુકાનીધારી હુમલાખોર કોણ હતા, એ શોધવા માટે તપાસ કરવી જોઇએ...''
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, બુકાનીધારી હુમલાખોર કોણ હતા, એ શોધવા માટે તપાસ કરવી જોઇએ
સૌએ સાથે આવીને તેમનામાં (વિદ્યાર્થીઓમાં) આત્મવિશ્વાસ ભરવો જોઇએ
તમામ ઘટના 250થી વધારે મૂકદર્શક બનેલા પોલીસ જવાનોની સામે વિના હસ્તક્ષેપ બની
તેઓએ કહ્યું કે, 'દેશભરના વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે...આપણે સૌએ સાથે આવીને તેમનામાં (વિદ્યાર્થીઓમાં) આત્મવિશ્વાસ ભરવો જોઇએ...' સાથે જ તેઓએ કહ્યું કે, જેએનયૂ (JNU)માં હુમલો કરનારા બુકાનીધારીઓ કાયર છે, તેમની ઓળખનો ખુલાસો થવો જોઇએ. દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હુમલાખોરોએ માસ્ક પહેરવાની શું જરૂર હતી? તેઓ કાયર હતા. હું ટીવી પર જોઇ રહ્યો હતો, તેણે મને 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાની યાદ અપાવી દીધી. અમે મહારાષ્ટ્રમાં આ પ્રકારના હુમલાઓને ચલાવી નહીં લઇએ.
Maharashtra Chief Minister Uddhav Thackeray: There is an atmosphere of fear among the students in the country, we all need to come together and instill confidence in them. https://t.co/9omvMqF1Klpic.twitter.com/zORU3ou0PS
મીડિયાને પણ રોકવામાં આવી, સ્ટ્રીટ લાઇટ બંધ કરાવી દીધી
બુકાનીધારી હુમલાખોરોએ મીડિયાને ફોટો લેવા અને નજીક જતા પણ રોક્યા અને કથિત રૂપે સ્વરાજ્ય ઇન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવ સાથે ગેરવર્તન કર્યું. આ તમામ ઘટના 250થી વધારે મૂકદર્શક બનેલા પોલીસ જવાનોની સામે વિના હસ્તક્ષેપ થતી રહી. નારેબાજી દરમિયાન ઘણીવાર એબીવીપી અને વામપંથી જુથ વચ્ચે ઘર્ષણ પણ થયું, તથા અંધારમાં હિંસા થઇ. જેએનયૂના ગેટની સામેની તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેવાઇ હતી.