અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણને લઇ ABVPએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા. ABVPએ કહ્યું કે કોંગ્રેસના કાર્યલયથી જ આ બધુ આયોજન થયું હતું. અમારા કાર્યકર્તાઓને પણ ઇજા થઇ છે. ABVPએ કહ્યું કે ઘર પર કોઇ હુમલો કરે તો બેસી રહેવું જોઇએ?. NSUI હિંસાના આધારે આગળ વધવા માગે છે.
અમદાવાદમાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણનો મામલો
ABVPએ કોંગ્રેસ પર લગાવ્યો આક્ષેપ
પ્રેસ કોન્ફરન્સમાં કર્યા આક્ષેપ
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે પથ્થર લઇને આવ્યા હતા. NSUI યોજના પૂર્વક ABVPના કાર્યાલય પર હુમલો કરવા આવ્યા હતા. અમે કોઇને મારવા ન હતા ગયા. કોંગ્રેસના કાર્યકર્તાઓ પથ્થર લઇને આવ્યા હતા. NSUI ગુજરાતમાં કશ્મીર જેવી સ્થિતિ ઉભી કરવા માગે છે.
JNUના વિવાદનો મામલો પહોંચ્યો અમદાવાદ
JNUના વિવાદનો મામલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં પણ JNUના વિવાદને લઈને વિરોધ થયો. NSUIના કાર્યકર્તાઓએ ABVPના કાર્યાલય પર વિરોધ કર્યો હતો. JNUના વિવાદને લઈને પોલીસ દ્વારા અગાઉથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે યુવા નેતા ઋત્વીજ પટેલ પાલડીની ABVPની ઓફિસમાં આવતા એકાએક NSUIના નેતાઓએ વિરોધ કર્યો હતો.આ દરમિયાન બન્ને પક્ષના નેતાઓ સામ સામે આવ્યા હતા.
NSUI ના કાર્યકર્તાઓને પોલીસે માર્યો માર
NSUI ના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ કોઇ પ્રકારની સુચના પ્રાપ્ત થયેલી હોય તેમ તેમણે NSUIના કાર્યકર્તાઓને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી-દોડતી આવી હતી અને કાર્યકરો પર લાઠી ચાર્જ કર્યો હતો.
ગઇકાલે IIM રોડ પર થયું હતું વિરોધ પ્રદર્શન
JNU હિંસા મામલે આજે ફરી અમદાવાદમાં પડઘા પડ્યાં હતા. ગઇકાલે IIM રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પાલડી ખાતે JNU હિંસા મામલે NSUI અને ABVP ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ ઘર્ષણને લઇને બંને પક્ષો આમને-સામને આક્ષેપ લગાવી રહ્યાં છે.