દિલ્હીમાં JNU યુનિ.માં ભડકેલી હિંસાની આગ ગુજરાત સુધી પહોંચી છે. કાલે બપોર બાદ અમદાવાદમાં IIM રોડ પર થયેલાં શાંતપ્રિય વિરોધ બાદ આજે બપોરે પાલડી ખાતે હિંસક લડત થઈ છે. પાલડીમાં ABVP અને NSUIના જોરદાર મારામારી થઈ ત્યારબાદ પોલીસની નજર સામે પથ્થમારો પણ થયો છે. અમુક યુવાનોને ઘાયલ થયા છે.
JNUના વિવાદનો મામલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં પણ JNUના વિવાદને લઈને વિરોધ થયો. NSUIના કાર્યકર્તાઓએ ABVPના કાર્યાલય પર વિરોધ કર્યો હતો. JNUના વિવાદને લઈને પોલીસ દ્વારા અગાઉથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજે યુવા નેતા ઋત્વીજ પટેલ પાલડીની ABVPની ઓફિસમાં આવતા એકાએક NSUIના નેતાઓએ વિરોધ કર્યો હતો.આ દરમિયાન બન્ને પક્ષના નેતાઓ સામ સામે આવ્યા હતા.
JNU હિંસા મામલે આજે ફરી અમદાવાદમાં પડઘા પડ્યાં હતા. ગઇકાલે IIM રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પાલડી ખાતે JNU હિંસા મામલે NSUI અને ABVP ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ ઘર્ષણને લઇને બંને પક્ષો આમને-સામને આક્ષેપ લગાવી રહ્યાં છે.
JNU વિવાદની અસર આજે અમદાવાદમાં ફરી જોવા મળી છે. NUSI અને ABVP ના કાર્યકરો વચ્ચેના ઘર્ષણમાં નીખિલ સવાણીને માર મારવામાં આવ્યો છે. આ ઘર્ષણમાં ઘાયલ થયેલાના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.