કાશ્મીરને લઇ જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલય (જેએનયુ) ફરી એક વખત વિવાદમાં આવી છે. કાશ્મીરને લઇને સેન્ટર ફોર વુમન સ્ટડીઝ દ્વારા આયોજીત વેબિનાર માટે જાહેર આમંત્રણ પત્ર પર શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે. જે અંગે એબીવીપીએ કડક વિરોધ દર્શાવ્યો છે.
JNUમાં થયો ફરી મોટો વિવાદ
જમ્મુ-કાશ્મીરને ભારતના કબજા હેઠળના કાશ્મીર તરીકે ઉલ્લેખ કર્યો
એબીવીપી, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દર્શાવ્યો વાંધો
શુક્રવારે સાંજે આયોજીત વેબિનારને રદ્દ કરી દેવામાં આવ્યો. વેબિનાર રદ્દ થયા બાદ આયોજકો પર કાર્યવાહીની માંગ શરુ થઇ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુખ્ય વાંધો કાશ્મીરને લઇને કરવામાં આવેલા સંબોધન પર કર્યો છે. એક શિક્ષકે જણાવ્યું કે જેએનયુ વહીવટી તંત્રએ પણ તેના પર કડક વાંધો દર્શાવ્યો છે. ત્યારબાદ શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે યોજાનારો વેબિનાર રદ્દ કરવામાં આવ્યો. એબીવીપીએ ગેર બંધારણીય વેબિનાર જાહેર કર્યો. એબીવીપીના એક પદાધિકારીએ જણાવ્યું કે વેબિનાર વેબપેજે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશને ભારતીય અધિકૃત કાશ્મીરના રૂપમાં સંબોધન કર્યુ છે, જેના પર અમને ખૂબ દુ:ખ છે.
રાષ્ટ્ર વિરોધી કાર્યક્રમની યાદ અપાવી: ABVP
જેએનયુની એબીવીપી વિન્ગનું કહેવુ છે કે જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના સામ્યવાદીઓ દ્વારા આયોજીત રાષ્ટ્ર-વિરોધી કાર્યક્રમની યાદ અપાવતા, ભારતના સાર્વભૌમત્વને નબળો પાડનાર વધુ એક કાર્યક્રમ ભારતની સામાજિક વિજ્ઞાન સ્કૂલમાં મહિલા અભ્યાસ કેન્દ્રમાં સામે આવ્યો છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે મહિલા અભ્યાસ કેન્દ્રએ 29 ઓક્ટોબર, 2021 શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે 2019 બાદ કાશ્મીરમાં જાતિય પ્રતિકાર અને નવા પડકારો નામનો એક વેબિનાર આયોજીત કરવાનો જાણીજોઈને પ્રયાસ કરાયો છે.
વેબિનારથી ભારતની અખંડતા જોખમાઈ
દુર્ભાગ્યપૂર્ણ છે કે વેબિનાર વેબપેજે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશને ભારતીય કબજા હેઠળના કાશ્મીર તરીકે સંબોધન કર્યુ છે. આ તથ્ય હોવા છતાં ભારત સરકારે વારંવાર કાશ્મીરને સ્વતંત્ર ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. જેએનયુમાં એબીવીપી વિન્ગના અધ્યક્ષ શિવમ ચૌરસિયાએ કહ્યું કે અમે વહીવટી તંત્રને આ વેબિનારને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. કારણકે આ સ્વતંત્ર ભારત અને ભારતીય બંધારણની અખંડતા અને સાર્વભૌમત્વને નષ્ટ કરે છે.