કલમ-370 ના અંત સાથે જમ્મુ કાશ્મીરમાં રોકાણ વધારવા માટે રાજ્યનો વહીવટી વિભાગ સક્રિય થઈ ગયો છે. આ સંદર્ભમાં, રાજ્યમાં પ્રથમ વખત રોકાણકારોની એક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (વાણિજ્ય અને ઉદ્યોગ) એન કે ચૌધરીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે 12 થી 14 ઓક્ટોબર વચ્ચે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ 12 ઓક્ટોબરથી શ્રીનગરમાં યોજવામાં આવશે. રિપોર્ટ અનુસાર 2000 થી વધુ રોકાણકારોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
સમિટનું સમાપન જમ્મુમાં
ચૌધરીએ કહ્યું કે ઈન્વેસ્ટર સમિટ શ્રીનગરમાં યોજાશે, જ્યારે તેનું સમાપન જમ્મુમાં થશે. આ સાથે રાજ્યના અન્ય વિસ્તારોને સમાવવા સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. ચૌધરીએ જણાવ્યું હતું કે તેની તૈયારી માટે અમારી પાસે સમય ઓછો હોવા છતાં, અમે તેને સફળ બનાવવામાં કોઈ કસર છોડશું નહીં.
સમિટને સફળ બનાવવા હાથ ધરાશે પ્રયાસ
તેમણે જણાવ્યું હતું કે સમિટને સફળ બનાવવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ, મુંબઇમાં રોડ શો યોજવામાં આવશે અને દિલ્હીમાં મેગા રોડશો પણ યોજવામાં આવશે. એમ્બેસેડર મીટ અને મેગા મીડિયા કાર્યક્રમ પણ દિલ્હીમાં યોજવામાં આવશે.
લદ્દાખના પ્રવાસે જશે અમિત શાહ
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે કલમ 370 હટાવવાની સાથો-સાથ જમ્મુ કાશ્મીરથી લદ્દાખને અલગ કરીને બંન્નેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યો છે. જો કેન્દ્રિય મંત્રી અમિત શાહ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ ચોક જઇ તિરંગો ફરકાવે છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારનું ઐતિહાસિક પગલું રહેશે. શ્રીનગર બાદ અમિત શાહ 16 અને 17 ઓગસ્ટના રોજ લદ્દાખના પ્રવાસે જશે.
અજિત ડોભાલે લીધી શ્રીનગરની મુલાકાત
નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય પછી જમ્મુ-કાશ્મીરમાં હંગામો વધ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ શુક્રવારે એટલે કે શ્રીનગર પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડોભાલ તેમની મુલાકાત દરમિયાન રાજ્યની સુરક્ષા સિસ્ટમની માહિતી મેળવશે.
નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલમાં અર્ધલશ્કરી દળોના એક લાખ સૈનિકો સ્ટેન્ડ ટૂ છે. જમ્મુ-કાશ્મીરમાં હલચલ તેજ છે. શ્રીનગર અને જમ્મુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.