જમ્મુ-કશ્મીરમાં આતંકીઓનો ત્રાસ વધતો જાય છે તો, સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 44 જાબાઝ જવાનો શહિદ થયા હતા, જ્યારે વધુ એક વખત નાપાક પાકિસ્તાને CRPFની પોસ્ટને નિશાન બનાવી છે, જેમાં એક જવાન શહિદ થયા છે.
જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓ 10 કલાકમાં ત્રણ આતંકી હુમલા કર્યા છે. બનિહાલમાં સવારે CRPFના જવાનોને લઈ જઈ રહેલી એક બસને નિશાન બનાવવામાં આવ્યા. CRPFના જવાનોને લઈને જઈ રહેલી એક બસને એક કારે ટક્કર માર્યા બાદ કારમાં બ્લાસ્ટ થયો હતો. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ કાફલામાં CRPFની 6થી 7 બસો હતી અને 40 જવાન હતા. પ્રાપ્ત વિગતો મુજબ, આ કારમાં બે સિલિન્ડર, યૂરિયા અને તેલની બોટલો હતી. બીજી એક ઘટના બારામુલામાંથી સામે આવી છે. આતંકીઓએ બારામુલાના માર્કેટમાં ફાયરિંગ કર્યું. જેમાં એક નાગરિકનું મોત થયુ છે.
આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં અર્જુમંદ મજીદ ભટનું મોત થયુ છે. તો અર્જુમંદને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. તો ત્રીજી ઘટના પુલવામામાં બની હતી.
પુલવામામાં આતંકીઓએ CRPFની પોસ્ટને નિશાન બનાવી. CRPFની પોસ્ટ પર આતંકીઓએ હુમલો કરતા એક જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા એજન્સીઓએ પણ અલર્ટ આપ્યુ છે કે, લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ પુલવામામાં રાજકીય વ્યક્તિઓ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓના અલર્ટ બાદ સુરક્ષાબળના જવાનો પણ અલર્ટ બન્યા છે અને વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં થયેલા આતંકી હુમલામાં 4 નાગરિકોનાં મોત થયા છે.