જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજરોજ આતંકીઓએ એક હોસ્પિટલને ટાર્ગેટ બનાવી હતી. આતંકીઓએ હોસ્પિટલમાં ઘુસીને RSSના નેતા અને તેમની સુરક્ષામાં હાજર જવાનને ગોળી મારી હતી. ઘાયલ અવસ્થામાં પીએઓ અને RSSના નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજરોજ આતંકીઓએ એક હોસ્પિટલને ટાર્ગેટ બનાવી હતી. આતંકીઓએ હોસ્પિટલમાં ઘુસીને RSSના નેતા અને તેમની સુરક્ષામાં હાજર જવાનને ગોળી મારી હતી. ઘાયલ અવસ્થામાં પીએઓ અને RSSના નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન બંન્નેનું દવાખાનામાં જ મોત નિપજ્યું હતુ. કિશ્તવાડમાં વધી રહેલ તણાવને પગલે તાત્કાલિક અસરથી કરર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કિશ્તવાડની એક હોસ્પિટલમાં ઘુસીને ફાર્મસિસ્ટ અને RSSve નેતા ચંદ્રકાંત શર્મા અને તેમના PSO પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલ તથા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.
આ ઘટનાને પગલે ગંભીર રીતે ઘાયલ થયેલ RSS ના નેતા અને તેમના PSO ને જમ્મુના એક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત થયું હતું.
J&K: BJP Spokesperson Sunil Sethi says Chandrakant Sharma who was attacked in Kishtwar today has died. Medical Assistant Chandrakant Sharma working at Kishtwar district hospital was injured in an attack by terrorists, his PSO was shot dead. Sharma was also associated with the RSS pic.twitter.com/uPTHDcZn11
આપને જણાવી દઇએ કે, ગત વર્ષના નવેમ્બર માસમાં પણ આતંકીઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના મોટા ભાઇ અજીત પરિહારની ઘર જતી વખતે રસ્તામાં હત્યા કરી હતી જેની તપાસ હજી ચાલુ છે.