જમ્મુ કાશ્મીર સરકારે આતંકવાદી બિટ્ટા કરાટેની પત્ની સહિત ચાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે.
જમ્મુ કાશ્મીરમાં મોટી એક્શન
આતંકી બિટ્ટા કરાટેની પત્ની સહિત 4ને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા
આ ચારેયને આતંકી સાથે સંબંધ હોવાના કારણે હટાવ્યા
જમ્મુ કાશ્મીર સરકારે આતંકવાદી બિટ્ટા કરાટેની પત્ની સહિત ચાર સરકારી કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દીધા છે. જમ્મુ કાશ્મીરમાં સસ્પેન્ડ કરાયેલ ચાર કર્મચારીઓમાં પાકિસ્તાનના હીઝ્બુલ મુઝાહિદ્દીન પ્રમુખ સૈયદ સલાહુદ્દીનના દિકરા સૈયબ અબ્દુલ મુઈદ પણ સામેલ છે. સરકારી સૂત્રોએ જણાવ્યુ છે કે, ચારેયના આતંકી સંબંધોના કારણે સેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, બિટ્ટા કરાટે એ આતંકી છે, જેને ખુદ કબુલ્યુ હતું કે, તે કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ રહ્યો છે. બિટ્ટા કરાટે એક સમયે ઘાટીમાં કશ્મીરી પંડિતો માટે ખૂંખાર નામ બની ગયું હતું અને તેને પંડિતોનો કસાઈ પણ કહેવામાં આવતો હતો.
J&K govt sacks four Govt employees, including the wife of Bitta Karate who is facing terror charges and is an accused in the matter of killing of Kashmiri pandits. The four have been dismissed from services for terror links: Govt Sources pic.twitter.com/wlv5PPgxho
1990માં શરૂ થઈ હતી કશ્મીરી પંડિતોનું ટાર્ગેટ કિલીંગ
કશ્મીરી પંડિતોના ટાર્ગેટ કિલીંગને જાન્યુઆરી 1990માં તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મુહમ્મદ સઈદની દિકરી રુબૈયાના અપહરણ બાદ તુરંત વ્યવસ્થિત રીતે શરૂ કરી દેવામાં આવી હતી. જે ખૂંખાર આતંકવાદીઓને છૂટવાની સાથે સમાપ્ત થયું હતું. અહીં બિટ્ટા કરાટેએ નરસંહારનું નેતૃત્વ કર્યું અને જૂન 1990માં ધરપકડ થતાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટનો એક મુખ્ય ચહેરો બહનીને ઊભરી આવ્યો.
1991માં ખુદ કબુલ્યું આતંકી હોવાની વાત
1991માં ધરપકડમાં રહેવા દરમિયાન તેણે એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. લગભગ 31 વર્ષ પહેલા બિટ્ટા કરાટેએ કહ્યું હતું કે, તે એક આતંકીવાદી બની ગયો છે કારણ કે ેને સ્થાનિક પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે ભારતીય રાજ્યનો દુશ્મન બની ગયો. ત્યારે બિટ્ટા કરાટેએ કહ્યુ કે, જેકેએલએફના ટોચના કમાંડર અશફાક મઝીદ વાનીએ આ આદેશ આપ્યો. વાની એ શખ્સ છે જેણે બિટ્ટા કરાટે અને અન્યને આતંકી ટ્રેનિંગ માટે પાકિસ્તાન લઈ ગયો હતો. બાદમાંતે એક અથડામણમાં માર્યો ગયો હતો.