આતંકી સંગઠનોની સાથે સંબંધ રાખવાના આરોપમાં કાર્યવાહી
જુલાઈમાં પણ 11 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી હટાવાયા હતા
જે છ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચુ પકડાવી દેવાયું છે તેમાં અનંતનાગના ટીચર હમીદ વાની પણ સામેલ છે. વાની પર આરોપ છે કે નોકરીમાં આવતા વાની આતંકી સંગઠન અલ્લાહ ટાઈગરના જિલ્લા કમાન્ડર તરીકે કામ કરતો હતો.
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ ગર્વનર મનોજ સિંહાએ 6 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો હતો. હટાવાયેલા કર્મચારીઓમાં જમ્મુ કાશ્મીર પોલીસના બે સિપાઈ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યપાલ તરફથી એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી તેની ભલામણને આધારે આ કાર્યવાહી કરાઈ છે. જુલાઈમાં પણ 11 સરકારી કર્મચારીઓને બરખાસ્ત કરાયા હતા આ બધા પર આતંકી સંગઠન માટે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરી રહ્યાં હતા.
થોડા સમય પહેલા, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે એક આદેશ જારી કર્યો હતો કે જે સરકારી કર્મચારીઓ દેશદ્રોહીઓને ટેકો આપશે તેમને કાઢી મૂકવામાં આવશે. દેશની સાર્વભૌમત્વ, બંધારણ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકનારા તત્વોને ટેકો આપવા બદલ સરકારી કર્મચારીઓ તેમની નોકરી ગુમાવશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ સરકારી કર્મચારી કોઈ પણ સ્વરૂપે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો સાબિત થાય અથવા વિદેશી હિતો માટે કામ કરતો હોવાનું જણાય તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.