જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ચેતવણી ઉચ્ચારી છે કે જો હવે પછી પાક. કંઈ ભૂલ કરશે તો ભારતનું લશ્કર તેમને બહુ અંદર જઈ મારશે. પાક. સાથે સંબંધ અને વેપાર બંધ થવાથી અમારું કશું બગડશે નહીં.
કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાન હજુ પણ રોષે ભરાયેલું છે. આતંકીઓથી લઈ સરકાર અને પાકિસ્તાન મીડિયામાં પણ યુદ્ધ ઉન્માદ જોવા મળે છે. આજે જ્યારે 370ની કલમ જમ્મૂ કાશ્મીરમાંથી હટાવાયા બાદ પહેલી ઈદ પ્રસંગે સ્થાનિક લોકો ઉજવણી કરી રહ્યા છે. આ સમયે તેમના સંબંધીઓ સાથે ફોન દ્વારા સંપર્ક કરાવવામાં આર્મી તથા વહીવટી તંત્ર મદદ કરી રહ્યું છે.
જમ્મૂ-કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ પાકિસ્તાનને ઈશારા ઈશારામાં ચેતવણી આપી છે. સત્યપાલ મલીકે જણાવ્યું કે કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન હજુ પણ રોષે ભરાયેલું છે. જો પાકિસ્તાન રોષમાં કોઈ ભૂલ કરશે તો તો અમે ઘરમાં ઘુસીને મારીશું. અમેરિકા, ચીન, રશિયા સહિત સમગ્ર વિશ્વથી અલગ પડેલા પાક. વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટ કરી કહ્યું છે કે કાશ્મીરની હાલત માટે આરએસએસ જવાબદાર છે. તેમને હિટલરની નાઝી સેના સાથે સંઘની સરખામણી કરી હતી. તો બીજીબાજુ પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર હમીદ મીરે દાવો કર્યો હતો કે પાક. સેના એલઓસી તરફ કૂચ કરી રહી છે. અન્ય એક પત્રકારે કહ્યું કે પાકિસ્તાન સેનાને અનઔપચારિક રીતે કૂચ કરવાના આદેશ આપી દેવાયા છે. તો અન્ય તરફ તમિલ સુપરસ્ટાર રજનીકાન્તે કાશ્મીર અંગે ખુશી વ્યક્ત કરી નરેન્દ્ર મોદી અને અમિત શાહને કૃષ્ણ અને અર્જુન સાથે સરખાવ્યા છે.