કશ્મીરી પંડિતોના નરસંહારની ફાઈલ ફરી એકવાર ખુલે તેવી શક્યતા છે. જમ્મૂ-કશ્મીરના DGP દિલબાગસિંહે સંકેત આપ્યા છે.
કશ્મીરી પંડિત નરસંહારના કેસ ફરી ખોલવામાં આવી શકે
જમ્મૂ-કશ્મીરના DGP દિલબાગસિંહે આપ્યા સંકેત
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ રિલીઝ થયા બાદ નરસંહાર ફરી ચર્ચામાં
કશ્મીરી પંડિતોના નરસંહારની ફાઈલ ફરી એકવાર ખુલે તેવી શક્યતા છે. જમ્મૂ-કશ્મીરના DGP દિલબાગસિંહે સંકેત આપ્યા છે. દિલબાગસિંહે કહ્યું કે, જમ્મૂ-કશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં તપાસ કરીશું. કોઈપણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. હાલ ધ કશ્મીર ફાઈલ્સ રિલીઝ થઈ છે. જે બાદ યાસિન મલિક અને બિટ્ટા કરાટે ફરી એકવાર ચર્ચામાં છે.
યાસિન અને બિટ્ટા વિરુદ્ધ કેસને ફરી એકવાર ખોલવામાં આવી શકે છે. આ મુદ્દે દિલબાગસિંહે કહ્યું કે અમે તમામ આતંકવાદીઓ વિરુદ્ધ તપાસ કરીશું. બિટ્ટાએ ખુદ 20 કશ્મીરી પંડિતોની હત્યાની કબૂલાત કરી હતી. બિટ્ટા વિરુદ્ધ 19થી વધુ કેસ નોંધાયા હતા. બિટ્ટાને 16 વર્ષની સજા પણ થઈ હતી.
કોણ છે બિટ્ટા કરાટે
બિટ્ટા કરાટે અલગાવવાદી નેતા છે. કશ્મીરમા નિર્દોષ લોકોની હત્યા અને આતંકવાદ સંબંધિત આરોપમાં જેલમાં નાખવામાં આવ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં બિટ્ટાએ ખુદ 20 કશ્મીરી પંડિતોની હત્યા કરવાની વાત કબૂલી હતી. બિટ્ટા કરાટે કહ્યું હતું કે, તેણે 20 કશ્મીરી પંડિતોની હત્યા કરી હતી.
બિટ્ટાને સાર્વજનિક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ધરપકડ કર્યો હતો. બિટ્ટા પર 19થી વધારે ઉગ્રવાદ સાથે સંબંધિત મામલા હતા. 2008માં અમરનાથ વિવાદ દરમિયાન પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. બિટ્ટા માર્શલ આર્ટમાં ટ્રેંડ હતો, એટલા માટે તેના નામની અંતે કરાટે લગાવા લાગ્યા.
અલગાવવાદી નેતા છે યાસિન મલિક
યાસિન મલિક એક અલગાવવાદી નેતા છે. તે જમ્મુ કાશ્મીર બિલબેસન ફ્રંટ સાથે જોડાયેલ છે. તે હાલમાં જેલમાં બંધ છે. યાસીન મલિક પર 25 જાન્યુઆરી 1990માં ભારતીય વાયુસેનાના કર્મચારીઓ પર આતંકી હુમલામા સામેલ હોવાનો આરોપ છે. તેમા વાયુસેનાના સ્ક્વાડ્રન લીડર રવિ ખન્ના સહિત ચાર વાયુસેનાના કર્મચારીઓના મોત થઈ ગયા હતા. યાસીન પર પાકિસ્તાની આતંકવાદી સાથે સંબંધ રાખવાનો પણ આરોપ છે. 1990માં હિન્દુઓની હત્યા કરીને કશ્મીરમાંથી હાંકી કાઢવાના આંદોલનમાં યાસીન જેવા નેતાઓની મહત્વની ભૂમિકા હતી.