દેશમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરથી એક માઠા સમાચાર પ્રાપ્ત થયાં છે. શ્રીનગરમાં BSFની એક ટુકડી પર આતંકીઓએ હુમલો કર્યો હતો.
શ્રીનગરમાં આતંકી હુમલો
2 જવાન સારવાર દરમિયાન શહીદ
આ હુમલામાં 2 જવાન ઘાયલ થતાં તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંન્ને જવાનો સારવાર દરમિયાન શહીદ થયાં હતા.
જવાનોની રાયફલ લઇને ભાગ્યા આતંકીઓ
એવી જાણકારી પ્રાપ્ત થઇ હતી કે, આ હુમલામાં આતંકીઓ બીએસએફના જવાનોની રાયફલ લઇને પણ ભાગી ગયા હતા. નોંધનીય છે કે આ હુમલો શ્રીનગરના ગાંદરબળમાં પંદાચ વિસ્તારમાં જવાનોની સંયુક્ત ટીમ પર આતંકી હુમલો કર્યો હતો.
#UPDATE Two Border Security Force (BSF) personnel have been injured in the attack. More details to follow: BSF https://t.co/kt08VA3Iqt
આતંકી હુમલાની ઘટનાને પગલે જવાનોએ તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, આ આતંકીઓ નજીકના જ વિસ્તારમાં છૂપાયેલા છે.
બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના વિશેની જાણકારી મેળવવામાં આવી રહી છે. આ સાથે જ મોટી સંખ્યામાં જવાનો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.
હિઝબુલના કમાન્ડર અને અલગાવવાદી નેતાનો પુત્રને સેનાએ એન્કાઉન્ટરમાં કર્યો હતો ઠાર
જમ્મૂ કાશ્મીરમાં હિઝબુલના આંતકીઓ પર સુરક્ષા દળોએ કહેર વરસાવ્યો છે. મંગળવારે (19 મે 2020) એ સુરક્ષા દળોએ શ્રીનગરના નવાકાદલ વિસ્તારમાં 2 હિઝબુલ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. 18-19 મેની રાત્રીથી જ સીઆરપીએફના જવાન અને જમ્મૂ કાશ્મીર પોલીસના કેટલાક જવાન આ બંને આતંકીઓનો સામનો કરી રહ્યા હતા.