આંબાનાં પાનમાંથી દારૂ તૈયાર કરવાની ફોર્મ્યુલા જેયુના હેલ્થ સેન્ટર પ્રભારી ડો. જીબીકેએસ પ્રસાદ અને સંશોધન વિદ્યાર્થી રૂપાલી દત્તના સાથીઓએ શોધી છે, તેમાં આંબાનાં પાનમાં મળી આવતાં મેંગો ફેરિન તત્ત્વની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, જે તમામ બીમારી રોકવામાં મદદ કરે છે.
ગ્વાલિયરઃ જીવાજી યુનિવર્સિટીનાં હેલ્થ સેન્ટરનાં વિદ્યાર્થીઓએ આંબાનાં પાનમાંથી દારૂ બનાવ્યો છે, તેમાં ૮ થી ૧૨ ટકા સુધી આલ્કોહોલ હશે. તેમ છતાં પણ તે ડાયાબિટીસને રોકવાની સાથે-સાથે ફેટ ઘટાડવા અને રોગપ્રતિકારકશક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થશે. દારૂ બનાવવામાં ૪૫ થી ૫૦ દિવસનો સમય લાગશે. તેને ગ્લુકોઝ, કાર્બોહાઇડ્રેટ અને પેપ્ટોન પ્રોટીનનાં કણમાંથી બનાવવામાં આવે છે. જેયુ મેનેજમેન્ટ હવે આ પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવા માટે કોઇ કંપની સાથે પોતાની ફોર્મ્યુલાનાં એમઓયુ સાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આંબાનાં પાનમાંથી દારૂ તૈયાર કરવાની ફોર્મ્યુલા જેયુના હેલ્થ સેન્ટર પ્રભારી ડો. જીબીકેએસ પ્રસાદ અને સંશોધન વિદ્યાર્થી રૂપાલી દત્તના સાથીઓએ શોધી છે, તેમાં આંબાનાં પાનમાં મળી આવતાં મેંગો ફેરિન તત્ત્વની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, જે તમામ બીમારી રોકવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે આંબાનાં પાન આખું વર્ષ ઉપલબ્ધ રહે છે, જેથી આ દારૂ કોઇ પણ સિઝનમાં બનાવી શકાય છે.
શા માટે શરીર માટે લાભકારીઃ
• આંબાનાં પાનના દારૂમાં મેંગો ફેરિન હોય છે, તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. શરીરની ફેટ ઘટે છે, તેમાં એિન્ટ બેક્ટેરિયલ ગુણો પણ હોય છે.
• ગેલિક એસિડ, પેરાસિટિન, કેટાઇચીન, ઇપી કેટાઇચીન શરીરના ઉત્તકોને ક્ષતિગ્રસ્ત નહીં થવા દે.
• એસ્કોર્બિક એસિડ રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે, તેમાં કેલ્શિયમ પણ હોય છે. તે હાડકાં માટે લાભદાયક હોય છે.