મહેસાણાઃ કોંગ્રેસમાંથી ભાજપમાં જતાની સાથે જ જીવાભાઈ પટેલને પણ પ્રમોશન મળી ગયું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જીવાભાઈ પટેલને GMDCના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આગામી શુક્રવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના પણ છે.
જીવાભાઈની સાથે-સાથે અન્ય 20 નવા ચેરમેનના નામની પણ જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા સમયે પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જીવાભાઈ પટેલે પત્ર લખીને સરકાર પાસે માગ કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસમાં ભંગાણના એંધાણ
મહેસાણા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણના એંધાણ સર્જાયા છે. તાલુકા પંચાયતના 7 સભ્યો ભાજપના સંપર્કમાં છે. ભાજપ નેતા જીવાભાઇ પટેલના સંપર્કમાં હોવાની ચર્ચા થઇ રહી છે. આગામી સમયમાં ભાજપમાં કોંગ્રેસના સભ્યો જોડાઇ શકે છે.
જીવા પટેલે જીતુ વાઘાણીને લખ્યો હતો પત્ર
મહેસાણાના પૂર્વ સાંસદ જીવા પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને એક પત્ર લખી કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડાવ અંગે રજૂઆત કરી હતી. ઉલ્લેખનિય છે કે મહેસાણાના પૂર્વ સાંસદ જીવા ભાઈ પટેલ થોડા દિવસો પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતાની સાથે જ કોંગ્રેસને તોડવાના પ્રયત્નો તેમણે શરૂ કર્યા છે. જેના ભાગરૂપે હવે તેમણે જીતુ વાઘાણીને પત્ર લખી એક કાર્યક્રમ યોજવા રજૂઆત કરી છે.
જીવા પટેલ મુદ્દે ભરત પંડ્યાની પ્રતિક્રિયા
ભાજપમાં કોંગ્રેસના અન્ય કાર્યકર્તા પણ જોડાવવા ઇચ્છે છે. જે મામલે ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે જીવાભાઈનો પત્ર જ તેનો જવાબ છે. તો આ તરફ કોંગ્રેસના નેતા ભરત પંડ્યાએ જણાવ્યુ હતું કે કોંગ્રેસના કાર્યકરો મક્કમ છે.