સુષમા સ્વરાજના નિધન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓએ કહ્યું કે, સુષમાજી પરિવારના વડાની જેમ અમને માર્ગ દર્શન આપતા હતા. તેઓ અને સંસ્મરણો સાથે જોડાયેલા છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.