બોર્ડની પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર કરાયો, સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિઓમાં ફેરફાર થશે તેવી જાહેરાત કેબિનેટ બેઠક બાદ થઈ
બોર્ડની પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર કરાયો: વાઘાણી
GSSSBના ચેરમેન આસિત વોરાના રાજીનામા મામલે નિવેદન
તપાસમાં કોઈપણ કસુરવાર હશે તેની સામે કાર્યવાહી થશે: વાઘાણી
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારની ભરતી પરીક્ષાને ઘણા પેપરો લીક થયા છે ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણીએ ભરતી પરીક્ષા પદ્ધતિ અંગે નિવેદન આપતા કહ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં રહી જતી ક્ષતીઓ દુર કરવામાં આવશે. આવનાર સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિઓમાં ફેરફાર કરીશુ.
કસુરવાર હશે તેની સામે કાર્યવાહી થશે:વાઘાણી
હેડક્લાર્ક પેપર લીક થયા બાદ સરકારે પરીક્ષા રદ્દની જાહેરાત કરી દીધી છે ત્યારે ગુજરાત ભરના ઉમેદવારો અને વિપક્ષ માંગ કરી રહ્યું છે કે GSSSBના ચેરમેન અસિત વોરા રાજીનામું આપે અથવા સરકાર તએમને બરખાસ્ત કરે. ત્યારે જીતુ વાઘાણીએ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું છે કે તપાસમાં કોઈપણ કસુરવાર હશે તેની સામે કાર્યવાહી થશે,તપાસ અંગેના તથ્યો પણ જાહેર કરવામાં આવશે તેમજ કોઈ પણ વિગત જનતાથી છૂપી નહી રહે. પેપર લીકમાં સંકળાયેલા વ્યક્તિઓને સરકાર છોડવા માંગતી નથી
વાયબ્રંટ માટે રોડ શો યોજાયાઃ વાઘાણી
ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2022 10 જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહી છે ત્યારે વાઘાણીએ કહ્યું છે કે ગુજરાત વાયબ્રંટ સમિટ નવી ઉંચાઈએ પહોચશે, અનેક રોડ શોથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સીમાચિન્હ રૂપ વાયબ્રન્ટ સમીટ યોજાશે.
80થી 90 ટકા સરપંચો ભાજપ વિચારધારાના: જીતુ વાઘાણી
ગ્રામપંચાયતોની ચૂંટણી મુદ્દે વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે ગામડા માટે અનેક યોજનાઓ ભાજપ સરકારે બનાવી છે. કાલે ચૂંટાયેલા સરપંચોમાંથી 80થી 90 ટકા સરપંચો અને સભ્યો ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. જેથી સમગ્ર ગ્રામીણ જનતાના મતદારોનો આભાર માનુ છું.
ગુડ ગવર્નન્સ દિવસ
25 ડિસેમ્બર એટલે અટલજીનો જન્મદિવસ અને કેન્દ્ર સરકાર આ દિવસને ગુડ ગવર્નન્સ દિવસ એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવે છે ત્યારે ગુજરાત સરકાર પણ 26થી 31 તારીખ સુધી ગુડ ગવર્નન્સ સપ્તાહની ઉજવણી કરશે. જેમાં 25 તારીખે સ્વર્ણિમ સંકુલમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, નર્મદા હોલમાં સરકારની મોબાઈલ એપ અને પોલિસી જાહેરાત થશે તેમજ ધારાસભ્યો અને સાંસદોની ઉપસ્થિતિમાં જિલ્લા-રાજ્ય કક્ષાના કાર્યક્રમો ઉજવવામાં આવશે.
નદી ઉત્સવ
ગુજરાત સરકાર 26થી 30 ડિસેમ્બરના રોજ એક મહત્વના કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. નદી મહોત્સવનો આ પ્રોગ્રામ સાબરમતી પર યોજાશે જે 4 થીમથી આધારિત હશે.આ કાર્યક્રમ પર પ્રકાસ પાડતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે તાપી, સાબરમતી, નર્મદા નદી પર નદી ઉત્સવના કાર્યક્રમનું પણ આયોજન થશે. 30 ડિસેમ્બરે સાબરમતી નદીની આરતી થશે આ પ્રોગ્રામમાં 4681 જેટલા ખાતમુર્હૂતો થશે, 5 હજાર જેટલા વિકાસકામોના લોકાર્પણ થશે