કાશ્મીર ફાઈલ્સના મામલે કેજરીવાલના નિવેદન સામે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતાં કહ્યું કે, કેજરીવાલ જુઠ્ઠી દેશભક્તિ જુઠ્ઠી વાતો કરે છે.
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર ફરી શરૂ થયો રાજકીય વિવાદ
અરવિંદ કેજરીવાલ પર જીતુ વાઘાણીનો ગંભીર આરોપ
જીતુ વાઘાણીએ કેજરીવાલ સરકારને ગણાવી નાટક કંપની
કાશ્મીર ફાઇલ્સ મામલે કેજરીવાલના નિવેદન પર રાજકારણ ગરમાવ્યું
કાશ્મીર ફાઈલ્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવેદન પર ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કેજરીવાલ જુઠ્ઠી દેશભક્તિ અને જુઠ્ઠી વાત કરી રહ્યાં છે. કાશ્મીર ફાઇલ્સ તથ્ય અને સત્ય આધારિત ફિલ્મ છે. આજે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી છે. ત્યારે આ શાંતિમાં પલિતો ચાંપવાનું કામ કેજરીવાલ એન્ડ કંપની કરી રહી છે
કેજરીવાલ એન્ડ કંપની નાટક કંપની છે,
કાશ્મીરી પંડિતોને બરબરતા પૂર્વક કાઢી નાખવામાં આવ્યા હતાં.તેમણે ઉમેર્યું હતું કે, દિલ્લીમાં કેવી રીતે રહ્યા તે આપણે જોયું છે, કોઈ કેજરીવાલને દિલ્લી માંથી કાઢી મૂકે તો ? તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં જઈ ઝંડો ફરકાવનાર નરેન્દ્ર મોદી હતાં.
દેશના જવાનોનું મનોબળ તોડવાનો કેજરીવાલને અધિકાર નથી.
આજે લશ્કર આતંકવાદીઓ ને દબાવી તેમની શાન ઠેકાણે લાવી રહ્યું છે. કેજરીવાલ બતાવે કે તેમના ક્યા વાહકોએ બલિદાન આપ્યા. અહીં ગાંધીજી અને સરદાર પટેલ જન્મ્યા છે.અહીં અનેક વિરોએ શહાદત વહોરી છે. કેજરીવાલ ગુજરાત માં આવીને આવા પરિવારોને મળે. પંડિતો પરની બરબરતા શુ જુઠ્ઠી હતી ?હવે આ કેજરીવાલની નાટક કંપની ખુલ્લી પડી ગઈ છે