સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર થયેલ હુમલા અંગે પરેશ ધાનાણી દ્વારા ભાજપની મીઠી નજર હેઠળ હુમલો થયો હોવાના નિવેદનો કરવામાં આવ્યા હતા. જે અંગે વાઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
અલ્પેશ પર હુમલો કરનાર વ્યકિત ભાજપ કાર્યકર્તા નથી. કોંગ્રેસ બી ટીમની વાત કરી રહી છે પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસની ડી ટીમ હતી. જે ટીમો લતીફ મોહમ્મદ સુરતીના નામે ઓળખાતી હતી. જેને આશ્રય કોંગ્રેસની સરકારમાં અપાતો હતો.
ઉલ્લેખનીય છે કે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર થયેલ હુમલા અંગે પરેશ ધાનાણી દ્વારા બીજેપીની મીઠી નજર હેઠળ હુમલો થયો હોવાનું તેમજ બીજેપીની બી ટીમ ગુજરાતની પ્રજાને પ્રતાડિત કરી રહી હોવાના નિવેદનો કરવામાં આવ્યા હતા. જે અંગે જીતુ વાઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કોઈપણ ને કોઈના પર હુમલો કરવાનો અધિકાર નથી જે પણ હુમલો થયો છે તેની પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઇએ કે સુરત શહેરમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર ગત મોડી રાતે હુમલો કરવામાં આવ્યો હોવાંની એક ઘટના સામે આવી હતી. જેમાં વરાછામાં તાપી દર્શનનાં ગેટે કારમાં આવેલાં 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે કથિરીયાએ અભીજીરા અને તેનાં સાગરીતો સામે ફરિયાદ પણ નોંધાવી હતી.
ઘરનાં ગેટ પાસે જ અલ્પેશ કથીરિયા પર હુમલો કરનારાઓ પાસે તિક્ષ્ણ હથિયાર હતાં અને આ હુમલામાં આ અલ્પેશ કથીરિયાને ઇજા પણ પહોંચી છે. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન (PAAS)નાં કન્વીનર અલ્પેશ કથીરિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં સોસાયટીમાં અલ્પેશ પર હુમલો થયો હતો.