ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા અપક્ષ લડનારા મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન; અપક્ષ લડનારને ભાજપમાં સામેલ કરવામાં આવશે નહીં
અપક્ષ લડનારા મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન
'અપક્ષ લડનારાને ભાજપમાં નહીં મળે સ્થાન'
અપક્ષ ઉમેદવાર જે પી પટેલના ભાજપ પર પ્રહાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 5 ડિસેમ્બર મતદાન થવાનું છે. જેને લઈ પ્રચારના પડઘમ શાંત થયો છે. ઉત્તર તેમજ મધ્ય ગુજરાતનો ૯3 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થયા છે. ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે. મહીસાગરના લુણાવાડામાં બળખોર નેતાઓને લઈ જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અપક્ષ ચૂંટણી લડવાના અંગે જીતુ વાઘાણીનું નિવેદન
અપક્ષ ચૂંટણી લડવાના અંગે મહીસાગરના લુણાવાડામાં જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અપક્ષ લડનારને ભાજપમાં સામેલ કરવામાં આવશે નહીં તેમણે કહ્યું કે, ભાજપ છોડીને ગયેલાને ભાજપમાં સ્થાન મળશે નહી. તેમને જણાવી દઈએ કે, લુણાવાડા બેઠકમાં ભાજપના 2 નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જે.પી.પટેલ અને એસ.એમ.ખાંટે ભાજપ છોડી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
અપક્ષ ઉમેદવાર જે પી પટેલના ભાજપ પર પ્રહાર
મહીસાગરમાં ભાજપ છોડી અપક્ષ લડનાર ઉમેદવાર જે.પી.પટેલે ભાજપના ઉમેદવારના ઘર પાસે સભા યોજી બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના કોઈ પણ નેતા આવે ભાજપના ઉમેદવારને કોઈ જીતાડી નહીં શકે તેમણે જણાવ્યું કે, ભાજપના ઉમેદવાર ત્રીજાથી ચોથા નંબર પર રહેવાના છે તેમણે જણાવ્યું કે, 8 તારીખ પછી ભાજપના ઉમેદવારને કોઈ બેસવા માટે ખુરશી પણ નહિ આપે.