લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ વધતા જાય છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત અમરેલી જિલ્લાના પ્રવાસે હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલીની ધરતી એટલે કે કોંગ્રેસના ગઢથી હુંકાર કર્યો હતો.
ત્યારે કોંગ્રેસના પ્રચારક સામ પિત્રોડાએ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. જેને લઈને જીતુ વાઘાણીએ સામ પિત્રોડાના શબ્દોને વખોડી કાઢ્યા હતા. કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સામ પિત્રોડાની ઝાટકણી કાઢી
કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે. સામ પિત્રોડા અને રાહુલ ગાંધી દેશદ્રોહીઓની પડખે ઉભા છે. દેશભક્ત લોકો કોંગ્રેસને મત નહિ આપે. પરેશ ધાનાણીના મોદી સામેના નિવેદન પર પણ કટાક્ષ કર્યો હતો.
પરેશ ધાનાણીએ આપી હતી પ્રતિક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમરેલીમાં સભાને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસને અમરેલીમાં હરાવવા માટે ભાજપે પોતાની ફોજ ઉતારી છે. ભાજપ અમરેલી બેઠકને જીતવા માટે માટે તાકાત લગાવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, પાંડવોની નાની સેના માટે કૌરવોની સેના છે.