ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગાંધીનગરમાં પ્રેસ કન્ફરન્સ યોજી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હાર એ હાર છે પરાજયનો સ્વીકાર કરવો જોઇએ. ટુંક સમયમાં ધારાસભ્યોની બેઠક અંગે જાહેરાત કરાશે.
વાઘાણીએ કહ્યું કે ગુજરાતની જનતાનો ભાજપને છઠ્ઠીવાર જીતાડવા બદલ આભાર વ્યક્ત કરૂ છું. કોંગ્રેસ જીતી શકી નથી અને જ્યાં સત્તામાં છે ત્યાં પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકતી નથી. કોંગ્રેસ હાર પચાવવાની તૈયારી રાખે. જનતાએ ભાજપને મેન્ડેટ આપ્યો છે. કોંગ્રેસ જનતાને ફસાવવાના જ પ્રયત્નો કર્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે 2019માં પણ દેશમાં સત્તા ભાજપ હાંસલ કરશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં 2019માં ચૂંટણી જીતીશું. કોંગ્રેસ આઉટ સોર્સિંગ કર્યું છે. ધારાસભ્યની બેઠક બાબતે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં ધારાસભ્યની બેઠક અંગે જાહેરાત કરવામાં આવશે. ભાજપે વિજય રૂપાણીના નામે ચૂંટણી લડી છે.