જમણા હાથના બેટ્સમેન જીતેશ શર્માએ અત્યાર સુધી IPL 2023માં 10 મેચમાં 26.56ની એવરેજથી 239 રન બનાવ્યા છે, સ્ટ્રાઈક રેટ 165.97 રહ્યો છે. સાથે જ અત્યાર સુધી 18 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા છે.
પંતની જગ્યા લઈ શકે છે જીતેશ શર્મા
10 મેચમાં 26.56ની એવરેજથી 239 રન બનાવ્યા
સેહવાગે જીતેશ વિશે કરી હતી આ ભવિષ્યવાણી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનમાં કેટલાક ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે અને આ ખેલાડીઓમાં પંજાબ કિંગ્સના વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માનું નામ પણ સામેલ છે. જણાવી દઈએ કે IPLની આ સિઝનમાં જીતેશ શર્માએ જે પ્રકારની ફાસ્ટ બેટિંગ કરી છે તે ક્રિકેટ એક્સપર્ટને આશ્ચર્યચકિત કરી દીધી છે.
10 મેચમાં 26.56ની એવરેજથી 239 રન બનાવ્યા
નોંધનીય છે કે જમણા હાથના બેટ્સમેન જીતેશ શર્માએ અત્યાર સુધી IPL 2023માં 10 મેચમાં 26.56ની એવરેજથી 239 રન બનાવ્યા છે અને આ દરમિયાન જીતેશનો સ્ટ્રાઈક રેટ 165.97 રહ્યો છે. આ સાથે જ જીતેશે IPL 2023માં 18 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા છે. અંહિયા સૌથી મહત્વની વાતએ છે કે આ દસ મેચમાં માત્ર એક જ વાર આવું બન્યું હતું, જ્યારે જીતેશ સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો. અન્ય તમામ મેચોમાં તેણે તોફાની બેટિંગ કરી છે.
પંતની જગ્યા લઈ શકે છે જીતેશ શર્મા
જીતેશ શર્મા લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવે છે, તેથી તેના પર શરૂઆતથી જ મોટા શોટ રમવાનું દબાણ રહે છે. આમ છતાં તેણે ટીમ મેનેજમેન્ટની અપેક્ષાઓ પર ખરા ઉતરતા ઉપયોગી ઇનિંગ્સ રમી છે. આ સાથે જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું માનવું છે કે ઈજાગ્રસ્ત રિષભ પંતની જગ્યાએ જીતેશ શર્મા સારો વિકલ્પ બની શકે છે. પીટરસન કહે છે, 'પંજાબ કિંગ્સનો વિકેટકીપર જીતેશ શર્મા પણ ઘણો ખાસ છે. મને લાગે છે કે જો પંત વધુ થોડો સમય બહાર રહે છે તો તે તેની જગ્યા લેવાનો ખેલાડી બની શકે છે.
સેહવાગે જીતેશ વિશે કરી હતી આ ભવિષ્યવાણી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ જીતેશ શર્માના વખાણ કર્યા છે. સેહવાગે કહ્યું, 'હું હંમેશા બાળકોને કહું છું કે માત્ર બોલ જુઓ અને તમે તેનાથી જે કરી શકો તે કરો. બોલને હિટ કરો અથવા તેને છોડો. આ બેટિંગની સરળ મૂળભૂત બાબતો છે અને જીતેશ શર્મા પણ તે જ કરી રહ્યો હતો. મેં અગાઉ પણ કહ્યું હતું કે જિતેશ શર્મા વોચ આઉટ ખેલાડી છે. કદાચ આગામી એક વર્ષમાં અમે તેને ભારત માટે રમતા જોઈશું.
પંત-ઈશાન કરતાં પણ આ બાબતમાં સારો છે જીતેશ
જીતેશ શર્માએ અત્યાર સુધી 22 IPL મેચમાં 164.81ના સ્ટ્રાઈક રેટથી 473 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 40 ફોર અને 28 સિક્સર ફટકારી છે. ખાસ વાત એ છે કે IPLમાં જીતેશ શર્માનો સ્ટ્રાઈક રેટ રિષભ પંત અને ઈશાન કિશન કરતા ઘણો વધારે છે. IPLમાં પંતનો સ્ટ્રાઈક રેટ 147.97 છે જ્યારે ઈશાન કિશનનો 133.25 છે. જીતેશ શર્માને IPL 2022ની હરાજીમાં પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારપછી તેને પંજાબ કિંગ્સે વર્તમાન સિઝન માટે જાળવી રાખ્યો હતો.
PBKS batter Jitesh Sharma completes 2,000 runs in T20 cricket
જીતેશ વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે
વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા જીતેશે ફેબ્રુઆરી 2014માં લિસ્ટ-એ મેચથી ડોમેસ્ટિક ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે ઓક્ટોબર 2015માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 29 વર્ષના જીતેશ શર્મા અત્યાર સુધીમાં 17 ફર્સ્ટ ક્લાસ, 47 લિસ્ટ-એ અને 86 ટી-20 મેચ રમી ચૂક્યો છે. જીતેશે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 25.28ની એવરેજથી 632 રન અને લિસ્ટ-એ મેચોમાં 32.14ની એવરેજથી 1350 રન બનાવ્યા છે. તે જ સમયે, T20 ક્રિકેટમાં જિતેશના 29.79ની એવરેજથી 2026 રન છે. જીતેશે T20 ક્રિકેટમાં 1 સદી અને 9 અડધી સદી ફટકારી છે.