જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નોન-લોકલ પર થઇ રહેલા ટાર્ગેટ કિલિંગ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ ટ્વિટ કર્યું છે.
કાશ્મીરમાં નોન-લોકલને બનાવાય રહ્યા છે નિશાન
રવિવારે પણ બિહારના 2 મજૂરોની હત્યા
બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ પીએમ મોદી પાસે કરી માંગ
જીતનરામ માંઝીએ કહ્યું કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની જવાબદારી બિહારના લોકોને આપી દે અને તે લોકો 15 દિવસોમાં પરિસ્થિતિ સુધારીને બતાવીશું. જણાવીએ કે જમ્મુ કાશ્મીરમાં એન્ટી-ટેરર ઑપરેશનથી હડધૂત થયેલા આતંકવાદી એક બાદ એક નોન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે દક્ષિણી કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના રહેવાસી 2 મજૂરોની હત્યા કરી દીધી. મૃતકોની ઓળખ બિહારના નિવાસી રાજા અને જોગિંદરના રૂપમાં થઇ છે.
આ પહેલા શનિવારે પણ આતંકવાદીને પુલવામા અને શ્રીનગરમાં 2 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. શ્રીનગરમાં બિહારના નિવાસીઓ અરવિંદ કુમારને નિશાન બનાવ્યા હતા. ત્યારે, પુલવામામાં યુપી નિવાસી સગીર અહમદની હત્યા કરવામાં આવી હતી.
કાશ્મીરમાં સતત અમારા નિહત્થે બિહારી ભાઈઓની હત્યા કરવામાં આવી રહી છે જેનાથી મન વ્યથિત છે. જો પરિસ્થિતિમાં બદલાવ નથી થઇ રહ્યો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, અમિત શાહજીને આગ્રહ છે, કાશ્મીરને સુધારવાની જવાબદારી અમારા બિહારીઓ પર છોડી દો 15 દિવસમાં સુધરી ન જાય તો કહેજો.
कश्मीर में लगातार हमारे निहत्थे बिहारी भाईयों की हत्या की जा रहीं है जिससे मन व्यथित है।
अगर हालात में बदलाव नहीं हो पा रहें तो प्रधानमंत्री .@narendramodi जी,@AmitShah जी से आग्रह है,कश्मीर को सुधारने की जिम्मेवारी हम बिहारियों पर छोड दिजिए 15 दिन में सुधार नहीं दिया तो कहिएगा।
કાશ્મીરમાં બિહારના લોકો પર થયેલા હુમલા અંગે નીતીશકુમારે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ વાત કરી હતી. આ સિવાય મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી હતી.