ગયા જિલ્લાના ઈમામગંજ બ્લોકમાં આયોજિત બેઠકમાં માંઝીએ 1000 કરોડની માંગણી કરી, જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ગઠબંધન તોડી દેશે
માંઝીએ નીતિશ કુમાર પાસે 1,000 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
રૂપિયા નહીં આપો તો અમે પાર્ટી છોડી દઈશું
નીતિશકુમારે જ જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યાં હતાં
જીતન રામ માંઝીએ નીતિશ કુમાર પાસે 1,000 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે એક હજાર કરોડ રૂપિયાની માંગણી કરી છે. અને કહ્યું છે કે, જો તેમને આ પૈસા નહીં મળે તો તેઓ ગઠબંધન છોડી દેશે. માંઝીએ પોતાના વિસ્તારના વિકાસ માટે પૈસાની માંગણી કરી છે.માંઝીએ પોતાના વિસ્તારના વિકાસ માટે પૈસાની માંગણી કરી છે. જીતન રામ માંઝીનો હિન્દુસ્તાની અવમ મોરચાએ બિહારમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો સહયોગી છે. અને સરકારમાં સામેલ છે. જીતન રામ માંઝીએ મંગળવારે ગયા જિલ્લાના ઈમામગંજ બ્લોકમાં એક સભાને સંબોધિત કરતા આ વાત કહી. માંઝી આ વિસ્તારના ધારાસભ્ય પણ છે.
માંઝીએ કહ્યું કે, આ તેમની રાજનીતિની છેલ્લા ઈનિંગ છે
તેમણે કહ્યું કે, આ તેમની રાજનીતિની છેલ્લી ઈનિંગ છે. રાજનીતિ છોડતા પહેલા અમે અમારા વિસ્તારના વિકાસ માટે કરવા માંગીએ છીએ અને ઘણા વિકાસના કામો પણ કર્યા છે.અમે વધુ સંતુષ્ટ અને ખુશ રહીશું. માંઝીએ કહ્યું - અમે અમારા પુત્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ મંત્રી સંતોષ કુમાર સુમનને રૂ.1000 કરોડનું સ્ટીમિટ બનાવવા કહ્યું છે, જેમાં વિસ્તારના વિકાસ માટે સેંકડો યોજનાઓનો સમાવેશ થાય છે. જો એક હજાર કરોડ મળ્યા તો આ નાણાકીય વર્ષથી આ વિસ્તારમાં ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવશે.
રૂપિયા નહીં આપો તો અમે પાર્ટી છોડી દઈશું
માંઝીએ કહ્યું કે, સીએમ નીતિશ કુમારને આ કામ માટે એક હજાર કરોડ રૂપિયા આપવાનું કહેશે. માંઝીએ કહ્યું કે જો અમે નહીં આપીએ તો અમે તમારી પાર્ટીમાં નથી પરંતુ ગઠબંધનમાં છીએ, અમે ક્યાંક ચમકીશું તો તમે સમજી શકશો. જોકે, જીતનરામ માંઝીએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી તેમની વાત માને છે, તેથી અપેક્ષા છે કે તેઓ તેમની માગણી સ્વીકારશે. તમને જણાવી દઈએ કે જેડીયુ, ભાજપ, હમ અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી બિહાર એનડીએમાં સામેલ છે. માંઝી નીતીશ કુમાર સામે પોતાનું બળવાખોર વલણ બતાવી ચૂક્યા છે.
નીતિશકુમારે જ જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યાં હતાં
તમને જણાવી દઈએ કે, જીતનરામ માંઝીને નીતિશકુમારે જ મુખ્યમંત્રી બનાવ્યા હતાં. 2014માં મોદી લહેરમાં પાર્ટીની હાર બાદ નીતિશ કુમારે સીએમ પદથી રાજીનામું આપીને જીતમ રામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતાં. જો કે, થોડા મહિનાઓ પછી, જ્યારે નીતિશ ફરીથી સીએમ બનવા માંગતા હતા, ત્યારે જીતન રામ માંઝીએ પદ છોડવાની ના પાડી દીધી હતી. બાદમાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ નીતિશે સીએમ પદ સંભાળ્યું. જો કે આ પછી જીતનરામ માંઝીએ નીતિશ કુમારનો સાથ છોડી દીધો હતો. બાદમાં મહાગઠબંધનમાં પણ જોડાયા પરંતુ અંતે ફરી એનડીએનો ભાગ બન્યા.