Jio જ્યારથી માર્કેટમાં આવ્યું ત્યારથી દરેક ટેલિકોમ કંપની વચ્ચે હરિફાઇ થવા લાગી છે. Jio ના માર્કેટમાં આવવાથી ઘણા બધા ગ્રાહકો એરટેલ, વોડાફોન, આઇડિયા અને બીએસએનએલ છોડીને Jio સાથે જોડાયા હતા. ત્યારે આજે 34 કરોડ યૂઝર સાથે Jio ભારતની નંબર વન કંપની બની છે.
મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું કે ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં 34 કરોડથી વધુ ગ્રાહકને ખુશ કરનારી Jio દેશની નંબર વન ટેલિકોમ કંપની બની ગઇ છે. ગ્રાહકને ખુશ કરનાર Jio હવે સમગ્ર દેશ, ઘરો અને બ્રોડબેન્ડ સેવાઓની સાથે સાથે બીજા 4 નવા ગ્રોથ એન્જિન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, હોમ બ્રોડબેન્ડ સર્વિસ, એન્ટરપ્રાઈઝિઝ સર્વિસ અને બ્રોડબેન્ડ ફોર સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ પર ફોકસ કરશે.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ જિયોનું રોકાણ ચક્ર પૂરું થઇ ગયું છે અને લગભગ 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ઉચ્ચ ગતિના 4 g નેટવર્કમાં કરવામાં આવ્યું છે.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે JIO એ ભારતના ડેટાને જોરદાર બનાવ્યું છે. આજે JIO ગ્રાહક 34 કરોડથી વધુ છે. વિકાસની શક્યતા પણ ખૂબ છે. તેઓએ આગળ જણાવ્યું કે માત્ર ભારતના કારણે JIO માત્ર ભારતમાં સૌથી મોટું ઓપરેટર બની ગયું છે, સાથે સાથે વિશ્વની બીજા નંબરની ટેલિકોમ કંપની બની છે. આ સાથે જ તેમને જણાવ્યું કે જિયો દર મહિને એખ કરોડ ગ્રાહકોને જોડી રહી છે.
ઉલ્લેખનીય છે કે jio સસ્તા ભાવે ડેટા આપી રહ્યું છે જેના કારણે જિયોમાં વધુને વધુ ગ્રાહકો જોડાઇ રહ્યા છે. jio ના કારણે બીજી ટેલીકોમ કંપનીઓને નુકસાન ભોગવવું પડ્યું છે.