હાલ દેશમાં કોરોનાને કારણે ડરનો માહોલ છે. ત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન પણ ચાલી રહ્યું છે. આ કપરાં સમયમાં મોટાભાગની ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકો કોઈને કોઈ ઓફર આપી રહ્યાં છે. ત્યારે હવે રિલાયન્સ જિયોએ પણ યુઝર્સને 17 એપ્રિલ સુધી વોઈસ કોલિંગ અને 100 એસએમએસ ફ્રી આપવાની જાહેરાત કરી છે.
દેશમાં કોરોનાને કારણે ડરનો માહોલ છે
ત્યારે જિયોના ગ્રાહકો માટે એક સારાં સમાચાર છે
જિયો ગ્રાહકોને આપી રહ્યું છે આ ફાયદા
આ સાથે જ તમામ જિયોફોન યુઝર્સની વર્તમાન વેલિડિટી ખતમ થયા બાદ પણ ઈનકમિંગ કોલ આવતા રહેશે. યુઝર્સને આ ફાયદો કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દેશમાં 14 એપ્રિલ સુધી ચાલી રહેલાં લોકડાઉનમાં મદદ કરવાના હેતુથી આપવામાં આવી રહ્યો છે. હાલમાં જ એરટેલ, વોડાફોન, આઈડિયા અને બીએસએનએલે પણ તેના પ્રીપેડ ગ્રાહકોને એકાઉન્ટ વેલિડિટીને એક્સટેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
જેથી હવે જિયોફોનના યુઝર્સને કોલિંગ માટે 100 મિનિટ અને 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. જેથી યુઝર્સ 17 એપ્રિલ સુધી દેશમાં ગમે ત્યાં કોલિંગ અને મેસેજ કરી શકે છે. ત્યારે તમામ જિયોફોન યુઝર્સની વેલિડિટી ખતમ થયા બાદ પણ ઈનકમિંગ કોલ્સ ચાલુ રહેશે. જોકે, રેગ્યુલર જિયો ગ્રાહકો માટે આવી કોઈ જ જાહેરાત કરાઈ નથી.
હાલમાં જ કંપનીએ તેના રેગ્યુલર જિયો યુઝર્સ માટે રિચાર્જ એટ એટીએમ સર્વિસ રજૂ કર્યું હતું. જેથી યુઝર્સ નજીકના એટીએમથી રિચાર્જ કરી શકે. સાથે જ ગ્રાહકો ડિજિટલ ચેનલ્સ જેવી કે માયજિયો એપ અથવા જિયોની વેબસાઈટથી પણ રિચાર્જ કરાવી શકે છે. આ સિવાય ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવા અન્ય પ્લેટફોર્મ દ્વારા પણ રિચાર્જ કરી શકાય છે. સાથે જ જિયોના ગ્રાહકો એક્સિસ બેંક અથવા આઈસીઆઈસીઆઈ બેંકથી પણ કોલ અથવા એસએમએસ દ્વારા રિચાર્જ કરી શકે છે.