ખેડૂત આંદોલન વચ્ચે હરિયાણાના જિંદ ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઇ હતી. જેમાં રાકેશ ટિકૈત પણ ખાસ હાજર રહ્યા હતા. જો કે, કાર્યક્રમ સ્થળે બનાવવામાં આવેલ સ્ટેજ પર લોકોની હાજરી વધી જતાં તે તૂટી પડ્યું હતું.
ચાલુ સભાએ રાકેશ ટિકૈત સાથે ઘટી દુર્ઘટના
ખેડૂત મહાસંમેલનમાં સ્ટેજ તૂટી પડ્યું
વીડિયો થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, સ્ટેજ પર હાજર રાકેશ ટિકૈત સહિતના તમામ ખેડૂત આગેવાનો નીચે પડ્યા હતા. જિંદના કંડેલા ગામે યોજાયેલ ખેડૂત મહાસંમેલનમાં પહોંચેલા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્ટેજ તૂટી પડ્યું હોવાનો વીડિયો થયો વાયરલ
આ સમય દરમિયાન, સ્ટેજ પરની ભીડ નોંધપાત્ર રીતે વધી અને અંતે વધુ લોકોના ભાર ઝીલી નહીં શકતા સ્ટેજ નીચે પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આજરોજ હરિયાણાના જિંદમાં યોજાયેલી ખેડૂતોની મહાપંચાયતમાં ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
રાકેશ ટિકૈતે આક્રમક મૂડમાં
ખેડૂતોની મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે આક્રમક રીતે સરકાર પર પ્રહાર કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, જ્યારે રાજા ડરે છે ત્યારે કિલ્લાબંધી કરે છે. અમે તો હજી માત્ર બિલ પરત લેવાની વાત કરી છે રાજગાદી પરત કરવાની વાત કરી તો શું કરશો? તેમણે સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, હજી સમય છે સંભાળી લો.
જિંદના લોકોને દિલ્હી કૂચ ન કરવાની કરી અપીલ
તો તેમણે જિંદમાં રહેતા લોકોને હાલ દિલ્હી કૂચ કરવાની જરૂર નથી તેવી અપીલ પણ કરી હતી અને મહાપંચાયતમાં ત્રણેય કાયદાઓ પરત લેવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો.
અમે કોઈ દબાણમાં ઝૂકવા નહીં માંગતા હોવાની કરી વાત
ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન હજું કમજોર નથી થયું. સતત અમારી લડાઈ ચાલૂ છે. રાકેશે કહ્યું કે અમારો દિલ્હીને ઘેરવાનો કોઈ પ્લાન નથી પરંતુ અમે કોઈ દબાણમાં ઝૂકવા નથી માંગતા.
દિલ્હીમાં ઘૂસવાનો અમારો કોઈ પ્લાન નથી- ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકેત બોલ્યા કે ખેડૂત- જવાનોને જે રીતે ભીડાવી દેવાયા છે તે ખોટું છે. જો સરકાર ઈચ્છે કે દબાણથી આંદોલન ખતમ થઈ જશે તો એવું નહીં થાય. વાતચીતથી આંદોલન ખતમ થશે. અમે અમારા મુદ્દાઓ પર અડેલા છીએ. દિલ્હીમાં ઘૂસવાનો અમારો કોઈ પ્લાન નથી.
6 ફેબ્રુઆરીએ દિલ્હી- એનસીઆરની પાસે ચક્કા જામ નહીં થાય
6 ફેબ્રુઆરીના ચક્કા જામને લઈને ટિકેતે કહ્યું કે દિલ્હી- એનસીઆરની પાસે એવું કંઈ નહીં થાય. ખેડૂત પોત પોતાની જગ્યાએ રસ્તા બંધ કરશે અને પ્રશાસનને જ્ઞાપન સોંપશે. દિલ્હીની સીમાઓ પર લાગેલા બેરિકેડિંગ અને કિલ્લા પર રાકેશ ટિકૈતે કહ્યું કે અમે તો દિલ્હી જઈ જ નથી રહ્યા.