અલ્પેશ ઠાકોર વિશે મેવાણીએ મોટું નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં ખુશ ન હોવાની વાત મેવાણીએ કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે જીગ્નેશ મેવાણી સાથે વાતચીત
અલ્પેશ ઠાકરો ભાજપમાં ખુશ ન હોવાનું મેવાણીનું નિવેદન
2022ની ચૂંટણી પહેલા 2017 જેવો માહોલ બનાવીશું
VTVની સાયકલ યાત્રામાં વિપક્ષ અને અપક્ષ નેતા જીગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત કરી હતી. મેવાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના શાસન વિરુદ્ધ કયા મુદ્દે લોકો વચ્ચે જવું જોઈએ. અને કયા મુદ્દા ચૂંટણીમાં હોવા જોઈએ તે અંગે વાત કરી હતી. મેવાણી મુજબ ચૂંટણી મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે લડાવી જોઈએ. દેશમાં બેરોજગારીનો સૌથી મોટો મુદ્દો છે.લાખો યુવાનો આજે બેરોજગાર ભટકી રહ્યા છે.
કોંગ્રેસ અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જનારા અલ્પેશ ઠાકોર વિશે મેવાણીએ મોટું નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં ખુશ ન હોવાની વાત મેવાણીએ કરી છે. તો 2022ની ચૂંટણી અંગે પણ કહ્યું કે, ફરી 2017 જેવો માહોલ બનાવીશું. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ ફરી આંદોલન કરશે. અને બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરશે. સાથે જીગ્નેશે આંદોલનમાં જોડાવવા અલ્પેશ ઠાકોરને પણ આમંત્રણ આપ્યું. તો સાથે મેવાણીએ ગુજરાતમાં હાલ વિપક્ષ નબળું હોવાની વાત પણ કહી છે.
ખેડૂતો વિશે બનાવેલા કાયદા અંગે જીગ્નેશ મેવાણીનું કથન