Jignesh Mewani Satyamev Jayate Jan Sabha in Ahmedabad, Gujarat Bandh announced on June 1 on the issue of police grade pay and return of their cases in una
ઝૂકેગા નહીં /
અમદાવાદમાં જિગ્નેશ મેવાણીનું શક્તિ પ્રદર્શન: 1 જૂને પોલીસ ગ્રેડ પે અને ઉના કેસ પરત મુદ્દે ગુજરાત બંધનું એલાન
Team VTV10:47 PM, 03 May 22
| Updated: 11:22 PM, 03 May 22
જીગ્નેશ મેવાણીના અમદાવાદ આગમન પર એરપોર્ટથી સારંગપુર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજી, રામદેવ ટેકરા પર સત્યમેવ જયતે જનસભા યોજાઈ
જીગ્નેશ મેવાણીનું નિવેદન-
રાહુલ ગાંધીએ મારા માટે અડધી રાત્રે ઉઠીને ચિંતા કરી હતી
હું આજીવન મારુ તે વખતે મૈ કરેલું ટ્વીટ ડીલીટ નહીં કરું
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની બારપેટા જિલ્લાની કોર્ટે એક મહિલા પોલીસ અધિકારી સાથે કથિત રીતે મારપીટના કેસમાં શુક્રવારે જામીન આપી દીધા હતા. જેલમાંથી છૂટ્યા બાદ સોમવારે જિગ્નેશ મેવાણીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
પુષ્પા ફિલ્મનો ડાયલોગ ઝુકેગા નહીં શાલા નો અમદાવાદમાં અંદાજ
ટવીટ કરવાના કેસમાં આસામ જેલ માંથી છુટકારા બાદ જિગ્નેશ મેવાણી અમદાવાદ પહોંચતા જ સમર્થકોએ જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કર્યું.20 એપ્રિલ મોડી રાત્રે ધરપકડ બાદ આજે અમદાવાદ પહોંચતા જ તેમણે પુષ્પા ફિલ્મનો ડાયલોગ ઝુકેગા નહીં શાલા ના...અંદાજમાં હુંકાર કરતાં જણાવ્યું કે આસામ પોલીસે ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવાનું કામ મારી ધરપકડ કિડનેપ કરતા હોય એમ કરીને કરી છે.કોર્ટએ પણ પોલીસ અને સરકારને ફટકાર કરી કે ફરિયાદ નકલી અને કાયદાની કોર્ટમાં ટકી શકે એમ ના હતી. મને ગમે એમ દબાવવાનું પ્રયત્ન થશે. હું લડતો રહીશ. 15 દિવસમાં પેપરકાંડ સહિતના મુદ્દોઓ તેમજ ઉનાના કેસો અને પોલીસ પે ગ્રેડ મુદ્દે 1 જૂને ગુજરાત બંધની ચીમકી આપી છે. કહ્યું હવે કામ નહિ થાય તો આંદોલન કરીશું અને 1 જૂને અમે ગુજરાત બંધ આપીશું
આજીવન મારુ એ ટ્વીટ ડીલીટ નહીં કરું: મેવાણી
જિગ્નેશ મેવાણીએ જાહેરસભામાં નિવેદન આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મારા માટે અડધી રાત્રે ઉઠીને ચિંતા કરી હતી. મારી ચિંતા કરનાર તમામ મિત્રોનો આભાર. મારા ટ્વીટ ને ટ્વીટર ઇન્ડિયાએ દબાવ્યું છે. હું આજીવન મારુ એ ટ્વીટ ડીલીટ નહીં કરું. મેવાણી ની ઇન્કવાયરી થાય છે પરંતુ જેના પોર્ટ પરથી કરોડોનું ડ્રગ પકડાયું એમની સામે કોઈ કાર્યવાહી નહીં, 22 પેપર ફૂટ્યા એના પર કોઈ કાર્યવાહી નહીં પરંતુ ટ્વીટ કરવા પર મારી ધરપકડ, આસામ રાઇફલના 20 જવાનો 5 ગાડીના કાફલા સાથે મને લઈને ગયા
મારી સામે ષડયંત્ર કરવા માત્ર મારી જ ગાડી માં મહિલા પોલીસ બેસાડવામાં આવી જે બાદ આસામ કોર્ટ એ પણ ફરિયાદ ફરજી હોવાનું કહ્યું. પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાયા તો દલિતો પરના કેસ પણ પરત ખેંચાવા જોઈએ તેવી હામ ભરી હતી.
હાજર લોકોને પ્રતિજ્ઞા પણ લેવડાવી
જિગ્નેશ મેવાણીએ હજારોની મેદનીને પ્રતિજ્ઞા લેવડાવતા કહ્યું હતું કે જીવનમાં ક્યારેય ભાજપને મત નહી આપે, આરએસએસ ની શાખા માં ક્યારેય પગ નહિ મુકવાની પ્રતિજ્ઞા સભામાં હાજર લોકોને લેવડાવી હતી.
કોર્ટે કહ્યું મારા પર કોઈ કેસ બનતો નથી
જિગ્નેશે પોતાની વાત રાખતા કહ્યું કે, કોર્ટે કહ્યું છે કે, મારા પર કોઈ કેસ જ નથી બનતો. જિગ્નેશે પૂછ્યું કે, આખરે મેં ટ્વિટ કરીને ક્યો ગુનો કર્યો છે. એક મહિલાને આગળ ધરીને બીજી FIR પણ કરાવી લીધી. ત્યાં સુધી કે મેંતો ફક્ત મારા ટ્વિટમાં શાંતિની અપીલ કરી હતી. પણ જે બાદ થયું તે જગજાહેર છે.
આવી હતી આખી ઘટના
અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે 20 એપ્રિલે ગુજરાતના બનાસકાંઠામાંથી ધરપકડ કરી હતી. તેમને એક કથિત ટ્વિટ મામલે કોકરાઝાર જિલ્લામાં એક ભાજપના નેતા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ સવારે ગુવાહટી લઈ જવામાં આવ્યા હતા, જે બાદ 25 એપ્રિલે મેવાણીને કોકરાઝારની એક કોર્ટમાં જામીન મળ્યા હતા, પણ એક મહિલા પોલીસ અધિકારીની ફરિયાદના આધારે બારપેટા જિલ્લામાં દાખલ થયેલી નવી ફરિયાદના આધારે ફરી વાર તેમની ધરપકડ થઈ, મહિલા પોલીસે તેમના મારપીટ અને અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો. જો કે, તે કેસમાંથી પણ તેમને જામની મળી ગયા અને આખરે તેઓ જેલ બહાર આવ્યા અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તથા આસામ સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા.