જીગ્નેશ મેવાણીની વડગામ બેઠક પર જીત; 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીને વડગામ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા, તો તેમને ઘેરવા ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા
જીગ્નેશ મેવાણીની વડગામ બેઠક ભવ્ય જીત
ભાજપે મણિલાલ વાઘેલાનેમેદાને ઉતાર્યા હતા
જીગ્નેશ મેવાણી 8 હજાર મતથી જીત્યા
બનાસકાંઠાની વડગામ બેઠક પર જીગ્નેશ મેવાણીની જીત થઈ છે, ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલાની હાર થઈ છે તેમજ અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લપત ભાટિયા પણ ચૂંટણી જંગમાં ઉતર્યા હતાં. ગુજરાતના ફાયરબ્રાન્ડ દલિત નેતા જીગ્નેશ મેવાણી ફરી એકવાર વડગામથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. 2017માં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવારને 19,696 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પાંચ વર્ષ બાદ 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીને વડગામ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા. તો તેમને ઘેરવા માટે તેમની સામે ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા. AAP તરફથી દલપત ભાટિયાને ટિકિટ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું.
ગત વખતે મોટા માર્જિનથી જીતેલા જીગ્નેશ મેવાણી માટે આ ચૂંટણી મુશ્કેલ માનવામાં આવી રહી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે તેઓની ટક્કર કોંગ્રેસના પૂર્વ નેતા વર્તમાન ભાજપ ઉમેદવાર મણિલાલ વાઘેલા સાથે થવાની હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ અહીંથી દિગ્ગજ દલિત એક્ટીવિસ્ટ દલપત ભાટિયાને મેદાનમાં ઉતારીને મુશ્કેલીઓ વધારી દીધી હતી.
2017ની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને મળી હતી 77 સીટો
ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 182 છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. BTP ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી અને ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થયા બાદ ત્રિપાંખિયો જંગ ખેલવાનો હતો. ગુજરાત વિધાનસભામાં બહુમતીનો આંકડો 92 બેઠકોનો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીને 50.79 ટકા મત મળ્યા હતા.
જીગ્નેશ મેવાણી રાજકીય ઈતિહાસ
જીગ્નેશ મેવાણીનું નામ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યું, જ્યારે 2009માં તેમણે ભાજપ સરકાર પર ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ હેઠળ ભૂમિહીન દલિતોને જમીન ન ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની સંસ્થા જન સંઘર્ષ મંચે આ માટે એક સર્વે કર્યો અને 2015 સુધીમાં તેઓ સક્રિય RTI એક્ટિવિસ્ટ બની ગયા હતા. મેવાણીનો વાસ્તવિક રાજકીય ઉદય 2016માં ઉના શહેરમાં દલિતોને માર મારવાની ઘટના પછી થયો હતો. ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચનાથી લઈને 30 વિવિધ સંગઠનોને એક મંચ પર લાવવામાં મેવાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિતોનો ઉભરતો ચહેરો બની ગયા હતા. આ પછી તેઓ વડમામથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને 2022ની ચૂંટણીમાં તેઓ ફરી જીત્યા છે
2009માં પહેલીવાર લાઇમલાઇટમાં આવ્યા
જીગ્નેશ મેવાણીનું નામ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યું, જ્યારે 2009માં તેમણે ભાજપ સરકાર પર ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ હેઠળ ભૂમિહીન દલિતોને જમીન ન ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમની સંસ્થા જન સંઘર્ષ મંચે આ માટે એક સર્વે કર્યો અને 2015 સુધીમાં તેઓ સક્રિય RTI એક્ટિવિસ્ટ બની ગયા હતા. મેવાણીનો વાસ્તવિક રાજકીય ઉદય 2016માં ઉના શહેરમાં દલિતોને માર મારવાની ઘટના પછી થયો હતો. ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચનાથી લઈને 30 વિવિધ સંગઠનોને એક મંચ પર લાવવામાં મેવાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિતોનો ઉભરતો ચહેરો બની ગયા હતા. આ પછી તેઓ વડમામથી ચૂંટણી લડ્યા અને જીત્યા.