સામાન્ય પરિવારમાં જન્મેલા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા બિઝનેસ જગતમાં બિગ બુલ તરીકે પણ જાણીતા હતા, રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે
બે પુત્રી અને એક પુત્ર માટે છોડી ગયા છે કરોડોની સંપત્તિ
કાસા એરમાં સૌથી મોટી હિસ્સેદારી તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની
શેર માર્કેટમાં મોટું નામ ધરાવતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે નિધન થયું છે, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા પીઢ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા બિઝનેસ જગતમાં બિગ બુલ તરીકે પણ જાણીતા હતા. ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની પાછળ એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડી દીધું છે. શું તમે જાણો છો રાકેશ ઝુનઝુનવાલા તેમના બાળકો માટે કેટલી સંપત્તિ છોડીને ગયા છે ?
રાકેશ ઝુનઝુનવાલાનો પરિવાર
રાકેશ ઝુનઝુનવાલાના પરિવારમાં પત્ની રેખા ઝુનઝુનવાલા, પુત્રી નિષ્ઠા ઝુનઝુનવાલા, પુત્ર આર્યમાન ઝુનઝુનવાલા અને પુત્રી આર્યવીર ઝુનઝુનવાલા છે. રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. અહીં જણાવી દઈએ કે, તેમની અકાસા એરમાં સૌથી મોટી હિસ્સેદારી તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની છે. બંનેનો કુલ હિસ્સો 45.97 ટકા છે.
Billionaire veteran investor and Akasa Air founder Rakesh Jhunjhunwala passes away at the age of 62 in Mumbai pic.twitter.com/36QcRfHXsa
માત્ર રૂ. 5,000 થી રૂ. 40,000 કરોડનું સામ્રાજ્ય બનાવનાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે મુંબઈમાં 62 વર્ષની વયે નિધન થયું હતું. અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે, તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સવારે 6.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર વેપારી જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
ફોર્બ્સની અબજોપતિઓની યાદી અનુસાર રાકેશ ઝુનઝુનવાલા હાલમાં અબજોપતિઓની યાદીમાં વિશ્વના 440મા સૌથી અમીર વ્યક્તિ હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, 'રાકેશે આર્થિક જગતમાં અદમ્ય યોગદાન છોડી દીધું છે, જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર ઝુનઝુનવાલા ભારતની પ્રગતિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.'
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
શેર માર્કેટમાં મોટું નામ ધરાવતા અબજોપતિ રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે નિધન થયું છે, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 2 3 અઠવાડિયા પહેલા જ તેમને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તરફથી તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. આજે સવારે 6 વાગીને 45 મિનિટે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.