રાજસ્થાનના ઝૂંઝનૂં જિલ્લામાં મંગળવાર અમંગળ રહ્યો હતો. ઝૂંઝનૂ જિલ્લાના ગુઢાગૌંડજી હદ વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ પલ્ટી ખાઈ જતાં 9 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે.
રાજસ્થાનમાં મોટી દુર્ઘટના
પિકઅપ વાહન પલ્ટી જતાં 9 લોકોના મોત
એક જ પરિવાર અને એક જ ગામના વતની હતા
રાજસ્થાનના ઝૂંઝનૂં જિલ્લામાં મંગળવાર અમંગળ રહ્યો હતો. ઝૂંઝનૂ જિલ્લાના ગુઢાગૌંડજી હદ વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ પલ્ટી ખાઈ જતાં 9 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. દુર્ઘટના એટલી ભિષણ હતી કે, આઠ શ્રદ્ધાળુઓના તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. તો વળી એક શ્રદ્ધાળુ ઝૂંઝનૂ હોસ્પિટલ પહોંચતા જ દમ તોડી દીધો હતો. આ દુર્ઘટના બપોરે લગભગ પોણા 3 વાગ્યાની આસપાસ સ્ટેટ હાઈવે નંબર 37 પર થઈ હતી. પિકઅપમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ લોહાર્ગલથી પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનામાં શિકાર થયેલા તમામ મૃતકો તન ખેતડીના રહેવાસી હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો
આટલી મોટી દુર્ઘટનાની જાણ થતાં પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. ગુઢાગૌડજી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને ગામ લોકોની મદદથી તાત્કાલિક ઝૂંઝનૂની બીડીકે હોસ્પિટલમાં મોકલ્યા હતા. તો વળી જિલ્લા કલેક્ટર લક્ષ્મણ સિંહ કુડી અને અધિક પોલીસ અધિક્ષક તેજપાલ સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનામાં ઘાયલ મોટી સંખ્યા જોતા હોસ્પિટલ તંત્ર પર એલર્ટ પર આવી ગયું છે.
કોંક્રિટથી ભરેલી ટ્રક જોઈને બેકાબૂ થઈ પિકઅપ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યા પ્રમાણે દુર્ઘટનાનો શિકાર થયેલા લોકો એક જ ગામના એક જ કુટુંબના છે. આ બધા શેખાવટીના પ્રસિદ્ધિ તીર્થ સ્થળ લોહાર્ગલ સ્નાન કરવા ગયા હતા. પિકઅપ શ્રદ્ધાળુઓથી ઓવરલોડ હતી વાપસીમાં ગુઢાગૌડજી પાસે રસ્તા પર કોંક્રિટથી ભરેલો ટ્રક જોઈને પિકઅપ ચાલક બેકાબૂ થઈ ગયો અને તેના કારણે ઓવરલોડ પિકઅપ બેકાબૂ થઈ અને પલ્ટી ગઈ હતી. જેમાં નવ લોકોના જીવ ગયા હતા તથા આટલી મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.