ગરીબ પરિવાર અને દિવ્યાગ હોવા છતા તે દેશ માટે કંઈક કરી બતાવવા ભાવના છે. તેવા એક વ્યક્તિની વાત કરવાની છે. જનું નામ છે સુજીત મુંડા જે T20 વર્લ્ડ કપમાં રમશે. રાંચીના ધુર્વાના વતની સુજીત મુંડાને બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. સુજીત મુંડાનો 17 સભ્યોની ટીમ ઇન્ડિયામાં સમાવેશ થયો છે. જે 4 થી 17 ડિસેમ્બર દરમિયાન યોજાનાર બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાના છે. સુજીત મુંડા ફાસ્ટ બોલર છે અને જરૂર પડ્યે તો બેટિંગ પણ કરી શકે છે. સુજીતે જણાવ્યું કે વર્ષ 2014માં તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 8 વર્ષમાં સુજીત ઘણી દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય શ્રેણીમાં ભાગ લીધો છે. હવે સુજીતની પસંદ વર્લ્ડ કપ રમવા માટે થઈ છે.
સુજીતનો પરિવાર
ધુર્વામાં HECની જમીન પર બનેલો ઝુપડી જેવો અસ્થાયી મકાનમાં રહેતો સુજીત ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. પરિવારમાં સુજીત સહિત 4 ભાઈઓ છે. 3 ભાઈઓ દૈનિક મજૂરી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. સુજીતે જણાવ્યું છે કે અંધ હોવા છતાં આ સ્થાન સુધી પહોંચવામાં તેમના પરિવારનો ઘણો મોટો ફાળો રહ્યો છે. સુજીતનું કહેવું છે કે તેની માતા શાંતિ દેવીએ તેને ખુબજ સપોર્ટ કરે છે. સુજીતને હંમેશા સાથ આપ્યો છે. સુજીત કહ્યું કે મારી દષ્ટિહીનતાના કારણે મારી માતાને સમાજના ઘણાં શબ્દો સાંભળવા પડતા હતા પરંતુ તેમણે કોઈ વાત પર ધ્યાન આપ્યું ન હતું. મારું મનોબળ જાળવી રાખ્યો હતો. સુજીત કહે છે કે મારી માતા આજે આ દુનિયામાં નથી. હું તેમને હંમેશા મિસ કરું છું.
સુજીતની ક્રિકેટ સાથેની સફર
બાળપણથી જ એથ્લેટિક્સ ખેલાડી રહેલા સુજીત મુંડાની વર્ષ 2014માં ક્રિકેટની કહાની રસપ્રદ શરૂ થાય છે. સુજીતે જણાવ્યું કે 10મુ ધોરણ પાસ કરી વધુ અભ્યાસ કરવા માટે દિલ્હી ગયો હતો. વર્ષ 2014માં અચાનક એક દિવસ તેને ગોલુ નામના મિત્રનો ફોન આવ્યો. ગોલુ તે સમયે બ્લાઈન્ડ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. ગોલુએ જ સુજીતને ક્રિકેટ રમવાની ઓફર કરી હતી. સુજીતે જણાવ્યું કે, મે ગોલુની ઓફરને નકારી નહી કારણ કે હું એથ્લેટિકસનો ખેલાડી તો હતો પણ મારામાં ક્યાંકને ક્યાંક ક્રિકેટમાં રસ તો હતો. સુજીતે કહ્યું કે તે વર્ષ 2014 થી 2017 સુધી ઝારખંડ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ માટે રમ્યો હતો. તેન સારા પ્રદર્શન માટે તેને એવોર્ડ પણ મળ્યો અને 2018માં સુજીતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની ટીમમાં રમે છે
બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં પસંદગી
સુજીતે જણાવ્યું કે અત્યાર સુધીની કારકિર્દીમાં તેણે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામેની દ્વિપક્ષીય સિરીઝ અને 2020માં ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ત્રિપક્ષીય સિરીઝ તેમજ દુબઈમાં ભારત-પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રિપક્ષીય શ્રેણીમાં ભાગ રમ્યો છે. સુજીતે જણાવ્યું કે બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ માટે 3 તબક્કામાં ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં દેશભરમાંથી કુલ 56 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં આ 56માંથી 29 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી અને ત્રીજા તબક્કામાં 29માંથી 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી જે 17 ખેલાડીઓને વર્લ્ડ કપમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
દેશ માટે જીતવા માગે છે ટ્રોફી
સુજીતે કહ્યું કે તે વર્લ્ડ કપમાં સારો પ્રદર્શન કરી અને દેશ માટે ટ્રોફી જીતવા માંગે છે. આ માટે સખત મહેનત પણ કરી રહ્યાં છે. સુજીતે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનને મળવા માંગું છે. ઝારખંડની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે છેલ્લા કેટલાક વર્ષોથી સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. ઝારખંડના ઘણા ખેલાડીઓએ દેશની ટીમમાં રમ્યા છે. હવે મહિલા ટીમ પણ બનાવવામાં આવી રહી છે. સુજીતે કહ્યું કે તેઓ મુખ્યમંત્રીને મળશે અને તેમની પાસે માંગ કરશે કે તેઓ દિવ્યાંગ ખેલાડીઓને પણ સમર્થન કરે જેનાથી ખેલાડીઓનું મનોબળ વધશે.
મહેન્દ્ર સિંહ ધોનીને માને છે આદર્શ
સુજીતે જણાવ્યું કે ડિસેમ્બરમાં રમાવા જઈ રહેલી બ્લાઈન્ડ ટી20 વર્લ્ડ કપ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ તેમની સાથે હશે જેઓ ખેલાડીઓને માર્ગદર્શન પૂરૂ પાડશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો આઈડલ માનતા સુજીત મુંડાએ કહ્યું કે તેઓ હજુ સુધી તેમની મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત થઈ નથી. પરંતું ધોનીના માતા-પિતાને મળ્યો છે. સુજીતે કહ્યું કે વિરાટ, સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ બ્લાઈન્ડ ક્રિકેટને સપોર્ટ કરે છે તે જોણીને સારું લા્યું છે. સુજીતે કહ્યું કે તે વિરાટ અને સૌરભ તિવારી સહિતના ખેલાડીઓને મળ્યો છે.