ઝારખંડમાં કોંગ્રેસને ફરીવાર બેઠી કરવાનો પૂર્ણ શ્રેય આર પી એન સિંહને જાય છે. આર પી એન સિંહે સોમવારે કહ્યું છે કે, જો વિધાન ચૂંટણીમાં કોંગ્રેસ મહાગઠબંધનને બહુમતી મળે છે તો, હેંમત સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી હશે.
આરપીએન સિંહે ઝારખંડમાં કોંગ્રેસને ફરી બેઠી કરી
આર પી એન સિંહે કહ્યું હતું હેંમત સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી હશે
ઝારખંડ કોંગ્રેસ પ્રભારી આર પી એન સિંહે કહ્યું કે, તેને લઇને કોઇ શંકા નથી. હેંમત સોરેન જ મુખ્યમંત્રી હશે. અમે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ની સાથે ગઠબંધન કરતા પહેલા જ આ આશ્વાસન આપ્યું હતું કે, મુખ્યમંત્રી હેમંત સોરેન જ બનશે. સિંહે કહ્યું કે, અંતિમ બે ચરણોમાં એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનો અમને પૂર્ણ ફાયદો મળ્યો છે.
યૂપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા આર પી એન સિંહે કહ્યું કે, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનવા પર શું કોંગ્રેસ જેવીએમના બાબૂ લાલ મરાંડી અથવા એજેએસયૂના સુદેશ મહતો પાસે સમર્થન માંગશે, સવાલ પર સિંહે કહ્યું, હાલ તેના પર કંઇપણ કહી શકાશે નહીં.
કોંગ્રેસનો તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડવાની રણનીતિ સફળ થતી દેખાઇ રહી છે. ઝારખંડમાં ચૂંટણી પરિણામો પર શું સંદેશ હશે, સવાલ પર સિંહે કહ્યું કે, તેનો સંદેશે સ્પષ્ટ હશે કે ભાજપને દેશમાં વધતી બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને આર્થિક મંદીની કોઇ ચિંતા નથી.