કેરળના તિરુવનંતપુરમમાં 1129 મજૂરોની ટીમને લઇને વિશેષ ટ્રેન સોમવારે સાંજે દેવઘરના જસીડીહ સ્ટેશન પહોંચી. તેમાંથી મોટાભાગના મજૂરો સંતાલપરગનાના રહેવાસી છે. આ ઉપરાંત સાહેબગંજ, પાકુડ, ગોડ્ડા, ગિરિડીહ, ગઢવા, લાતેહાર, રામગઢ, ધનબાદ અને ગુમલા જિલ્લાના રહેવાસી છે. આ તમામ મજૂરો પાસેથી રેલ ભાડુ લેવામાં આવ્યું હતું.
એક-એક મજૂરો પાસેથી 875 રૂપિયા ભાડા તરીકે વસૂલવામાં આવ્યા હતા
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રેલવે પર મોટો સવાલ ઉઠાવ્યો
ઘરે પરત ફરેલા આ મજૂરોનું કહેવું છે કે એક-એક મજૂરો પાસેથી 875 રૂપિયા ભાડા તરીકે વસૂલવામાં આવ્યા હતા. ઘણાને તો ટિકિટના રુપિયાની વ્યવસ્થા કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જોકે તેમા તેઓેને યાત્રા દરમિયાન ખાવાના પેકેટ પણ ઉપલબ્ધ કરવાયા હતા. સ્ટેશન પહોંચ્યા બાદ તમામ મજૂરોને બસથી પોતાના જિલ્લામાં મોકલવામાં આવ્યા હતા.
સુરતથી આવેલા મજૂરો પાસેથી પણ લેવામાં આવ્યા પૈસા
આ પ્રકારે સુરતથી ઝારખંડ આવેલા 1200 મજૂરોએ પણ રેલ ટિકિટ લેવી પડી. લૉકડાઉનની વચ્ચે ફસાયેલા આ મજૂરોની પાસે સુરતમાં ખાવા-પીવાના પણ ફાંફા પડી રહ્યા હતા ત્યારે પોતાના ગામ ટ્રેનથી કેવી રીતે જઇ શકતા. ઘણા લોકોએ પોતાના ગામથી પૈસા મંગાવ્યા તો કોઇએ પોતાના માલિક પાસે ઉધાર માંગ્યા હતા. આ મજૂરો પાસેથી 700-700 રૂપિયા લેવામાં આવ્યા હતા.
CM હેમંત સોરેને ઉઠાવ્યા સવાલ
આ વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રેલવે પર મોટો સવાલ ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે રેલવેએ પીએમ કેયર્સ ફન્ડમાં 150 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. ક્યાંક આ પૈસા મજૂરોથી એકઠા કરીને તો નથી આપવામાં આવ્યા. જો આમ છે તો આશ્ચર્યનો વાત છે. મજૂરો પાસેથી રેલ ભાડુ લેવાના સમાચારો પર મુખ્યમંત્રી હેમંત સોરેને આમ વાત કહી હતી.
8-9 લાખ મજૂરો-વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવી રહ્યા છે
મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ઝારખંડ દેશનું એકમાત્ર એવુ રાજ્ય છે, જે રેલવેને સૌથી વધારે આવક આપે છે, તેથી અહીંના મજૂરો અને વિદ્યાર્થીઓને છૂટ આપવી જોઇએ. લૉકડાઉનમાં દેશના અન્ય રાજ્યોમાં ફસાયેલા ઝારખંડના લગભગ 8થી 9 લાખ મજૂરો, કારીગરો અને વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવી રહ્યા છે.