ભારતમાં કોરોનાએ ઉથલો મારતા હવે રાજ્યો પોતાની મેળે કોરોના પ્રતિબંધો લાગુ પાડી રહ્યાં છે.
ભારતમાં વધવા લાગ્યા કોરોના કેસ
રાજ્યો પોતાની મેળે લાગુ પાડી રહ્યાં છે કોરોના પ્રતિબંધો
ઝારખંડ સરકારે કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી
ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યું
જાહેર થૂંકનાર માટે દંડ લાગુ પાડ્યો
ઝારખંડ સરકારે કોરોનાને નાથવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ઝારખંડ સરકારે ગાઈડલાઈન્સમાં જણાવ્યું કે રાજ્યમાં હવે ભીડભાડવાળી જગ્યાઓ, કામના સ્થળે અને જાહેર પરિવહનના સાધનોમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. સરકારે જાહેરમાં થૂંકનાર લોકોને પણ આકરી ચેતવણી આપી છે. સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેને માટે દંડ પણ લાગુ પાડ્યો છે.
Jharkhand Govt issues new guidelines for the containment of COVID-19
"Wearing of face cover/mask is compulsory in closed spaces, in workplaces and during public transport. Spitting in public places is prohibited," reads the order pic.twitter.com/cUlccdI2yu
મુંબઈમાં પણ ફેસ માસ્ક ફરજિયાત બનાવાયું છે
ઝારખંડ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ મુંબઈમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું.
દેશમાં કોરોનાની નવી લહેર
ભારતમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાની પૂરી શક્યતા છે કારણ કે દૈનિક કેસોની સંખ્યામાં ખૂબ મોટો વધારો આવી રહ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોના કેસ વધી રહ્યાં છે.
દેશમાં એક દિવસમાં કોરોનાના 12,781 કેસ
દેશમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસો સામે આવ્યા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આવ્યા છે. તેની સાથે જ એક્ટિવ કેસ દેશમાં વધીને 76,700 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમા 4226નો વધારો થયો છે. તો વળી આ સમયગાળામાં દેશમાં કોરોનાથી 18 લોકોના મોત પણ થયા છે. તેની સાથે જ દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 873 થઈ ગઈ છે.
દૈનિક સંક્રમણ દરમાં 4.32 ટકા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં દૈનિક સંક્રમણ દર વધીને 4.32 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર હાલમાં પણ 2.62 ટકા છે. દેશમાં કોવિડ 19ના છેલ્લા સાત દિવસમાં લગભગ 80,000 નોંધાયા છે. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધારે છે. તો વળી આ અગાઉના અઠવાડીયાની સરખામણીએ નવા કેસોમાં 62 ટકાનો વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અ નુસાર છેલ્લા 24 કલાકમાં 8537 લોકો બિમારીમાંથી સાજા થઈ ગયા છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં કોવિડ વેક્સિના 196 કરોડથી પણ વધારે ડોઝ લગાવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,80,136 ડોઝ આપવામાં આવ્યા છે. ઉપરાંત 24 કલાકમાં 2,96,050 કોરોના ટેસ્ટ પણ કરાવામાં આવ્યા છે.