ઝારખંડના ચૂંટણી પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનને પૂર્ણ બહુમતી મળતી દેખાઇ રહી છે. પીએમ મોદીની રેલી અને અમિત શાહની ચૂંટણી રણનીતિ બાદ પણ ભગવા પાર્ટી પરાજય તરફ આગળ વધી રહી છે. ઝારખંડ બાદ સૌની નજર હવે પડોશી રાજ્ય બિહાર પર ટકી છે, જ્યાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
ઝારખંડમાં ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનને મળી રહી છે પૂર્ણ બહુમતી
બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે
ઝારખંડથી ઉલટ બિહારમાં આરજેડીની પાસે કોઇ મજબુત સહયોગી નથી
એક્સપર્ટ્સ અનુસાર, ઝારખંડ ચૂંટણી પરિણામોનું બિહારમાં બીજેપીના વોટ પર કોઇ ખાસ અસર પડશે નહીં, પરંતુ જીતના ઉત્સાહથી વિપક્ષી આરજેડી અને કોંગ્રેસ હવે આંખો બતાવવાનું શરૂ કરી દેશે. તેઓનું કહેવું છે કે, ઝારખંડમાં બીજેપીની હારનું એક મોટુ કારણ પાર્ટીની અંદર ચાલી રહેલો આંતરિક ખટરાગ છે. આવી કોઇ સમસ્યા બિહારમાં બીજેપીને નથી.
આરજેડી પાસે કોઇ મજબુત સહયોગી નથી
ઝારખંડથી ઉલટ બિહારમાં આરજેડીની પાસે કોઇ મજબુત સહયોગી નથી. ઝારખંડમાં જેએમએમની પાસે કોંગ્રેસ જેવી મજબૂત સહયોગી પાર્ટી હતી. આરજેડીએ પણ મહાગઠબંધનનું સમર્થન કર્યું હતું. જો બિહારની વાત કરીએ તો વિપક્ષી પાર્ટીઓ આરજેડી, કોંગ્રેસ, આરએલએસપી, અને વીઆઇપીએ સાથે મળીને મહાગઠબંધન જરૂર બનાવ્યું છે પરંતુ આરજેડીને છોડીને કોઇની પાસે જનાધાર નથી.
આરજેડી હવે ઝારખંડના ચૂંટણી પરિણામને બિહારમાં પણ રિપીટ કરવા માટે જોર લગાવશે. આ પ્રકારે બિહારમાં સત્તારૂઢ બીજેપી અને જેડીયૂમાં ખેંચતાણ વધી શકે છે. નીતિશ કુમાર હવે વધારે બેઠકો માટે બીજેપી પર દબાણ વધારી શકે છે. જે નાગરિકતા સંશોધન કાયદા પર કેન્દ્ર સરકારને સમર્થન આપી પોતાના મુસ્લિમ વોટરોની નારાજગીનો સામનો કરી રહ્યા છે.