ઝારખંડ વિધાનસભાના ઝારખંડ મુક્તિ મોર્ચાની આગેવાની વાળા ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળ્યું છે. હેમંત સોરેન ઝારખંડના આગામી મુખ્યમંત્રી બનાવ તરફ અગ્રેસર છે. તેઓ પોતાના રાજકીય કરિયરમાં બીજી વખત મુખ્યમંત્રી બનશે. 2019ની ચૂંટણીમાં સોરેન પોતાની રાજકીય પાર્ટીના અસ્તિત્વને બનાવી રાખવા માટે લડી રહી હતી.
ઝારખંડમાં નવી સરકાર, હેમંત સોરેન નવી મુખ્યમંત્રી હશે
ભાજપ નેતા રઘુવર દાસે મુખ્યમંત્રી પદ પરથી આપ્યું રાજીનામુ
...તા આ ફાઇનલ છે. હેમંત સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળી ચૂકી છે. હેમંત ગઠબંધનના પ્રમુખ તરીકે રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂની પાસે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે અને તમામ ઔપચારિકતાઓ બાદ સોરેન સરકાર બની જશે.
ત્યારે રઘુવર દાસે હાર સ્વીકારતા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિપક્ષી ગઠબંધનની સામે ભાજપની રણનીતિ કામ ન આવી અને ત્યાં સુધી કે પાંચ વર્ષ સુધી રાજ્ય સરકારનો ચહેરો રહેલ રઘુવર પોતાની બેઠક પણ બચાવી ન શક્યા.
સતત બીજી વખત સ્પષ્ટ જનાદેશ
આ ચૂંટણીની સારી વાત એ રહી કે ઝારખંડની જનતાએ આ વખતે નવી સરકાર માટે સ્પષ્ટ જનાદેશ આપ્યો. જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધને 81 બેઠકોની પ્રદેશ વિધાનસભામાં બહુમતી માટે જરૂરી 41 બેઠકો જાદુઈ આંકડાને પાર કરી કુલ 47 બેઠકો પર કબજો જમાવી લીધો છે. જેએમએમને 30, કોંગ્રેસને 16 અને જ્યારે આરજેડીને એક બેઠક પર જીત મળી છે.
બન્ને બેઠકો પર જીત્યા હેમંત
જેએમએમ અધ્યક્ષ હેમંત સોરેન આ ચૂંટણીમાં બે બેઠકો- દુમકા અને બરહેટથી લડી રહ્યા હતા. તેમને આ બન્ને બેઠકો પર જીત મળી છે. દુમકામાં ભાજપની લુઈસ મરાંડીના 67,819 (40.91 ટકા) મતના મુકાબલે 81,007 (48.86 ટકા) મત મળ્યા. ત્યારે બરહેટમાં તેમણે (73,725 એટલે 53.49 ટકા) મત મેળવીને ભાજપના સાઇમન મહતો (47985 એટલે 34.82 ટકા) મતથી હરાવ્યા.
આ રાજ્ય માટે નવો અધ્યાય શરૂ થશેઃ હેમંત સોરેન
ઝારખંડમાં જીત બાદ જેએમએમના નેતા હેમંત સોરેને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ઝારખંડની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેના માટે મતદાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું. આજે મારા માટે સંકલ્પ લેવાનો દિવસ છે. આજે મારા પરિણામો ગુરૂજી શિબૂ સોરેન પરિશ્રમનું પરિણામ છે. આદરણીય ગુરૂજી, લાલૂજી, સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજીનો મારા પર વિશ્વાસ દર્શાવવા માટે આભાર. આજે નિશ્ચતરીતે આ રાજ્ય માટે નવો અધ્યાય શરૂ થશે અને આ રાજ્ય માટે મીલનો પથ્થર સાબિત થશે. જે આશાથી લોકોએ મત આપ્યા છે, હું ભરોસો અપાવું છું કે આશાનું કિરણ નહીં તૂટે.
રઘુવર દાસ બોલ્યા- આ મારી હાર છે, પાર્ટીની હાર નથી
ઝારખંડમાં મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે હજુ વલણો આવી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર ગણતરી પૂર્ણ થઇ નથી, પરંતુ જનાદેશનું સ્વાગત કરું છું. આ મારી હાર છે, પાર્ટીની નથી. મે ઇમાનદારીથી ઝારખંડ માટે કામ કર્યું. 65 પારના નારા પર રઘુવર દાસે કહ્યું કે લક્ષ્ય જિંદગીમાં મોટું રાખવું જોઇએ. તેના માટે 65 પરાનો નારો આપવામાં આવ્યો.
હેમંત સોરેને પ્રેસ કોન્ફરન્સ યોજી
Hemant Soren, Jharkhand Mukti Morcha's (JMM) in Ranchi: I am thankful to the people of Jharkhand for the mandate. pic.twitter.com/mP23eLPNbw
Saryu Rai, independent candidate from Jamshedpur East, leading against CM Raghubar Das, on being asked if he'll go with grand alliance or BJP: I will remain as an independent candidate and support or oppose the policies of government on its merit. #JharkhandAssemblyPollspic.twitter.com/vgCQD09Sz2
અપક્ષના ઉમેદવાર સરયૂ રાયને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ભાજપ સાથે જોડાશે કે કોંગ્રેસના ગઠબંધન સાથે ત્યારે તેમણે કહ્યું કે હું અપક્ષમાં જ રહીશ અને સરકારના નિર્ણયનું સમર્થન અને વિરોધ કરતો રહીશ
રાંચીમાં હેમંત સોરેન પિતા શિબૂ સોરેનને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા.
મરાંડીએ કહ્યું કે કોઇની સાથે જવાનો નિર્ણય નહીં
પ્રાથમિક વલણમાં જેવીએમના બાબૂલાલ મરાંડીએ કહ્યું છે કે જનતા જે આદેશ આપશે તે માન્ય રહેશે. જ્યારે કોની સાથે જોડાશો તેના સવાલના જવાબમાં કહ્યું કે હજુ નક્કી કર્યું નથી. આ અંગેની પાર્ટી બેઠક યોજાશે તેમાં નિર્ણય લેવામાં આવશે. બાબૂલાલ મરાંડીએ કહ્યું કે કોઇ પક્ષે હજુ સુધી સંપર્ક કર્યો નથી.
2014 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020નો પૂરો થાય છે. ગઇ વખત ઝારખંડમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. 81 બેઠકવાળી વિધાનસભામાં ભાજપ ગઠબંધને 42 બેઠક જીતી હતી. ભાજપે 72 બેઠક પર ચૂંટણી લડી હતી અને 37 બેઠક જીતી હતી. જ્યારે સહયોગી આજસૂએ 8 બેઠક પર ચૂંટણી લડી હતી અને 5 બેઠક જીતી હતી.