થોડા દિવસો પહેલા 11માં ધોરણમાં એડમિશન મેળવનાર ઝારખંડના શિક્ષણમંત્રી જગરનાથ મહતો આજકાલ ચર્ચામાં છે.
તેઓએ તેમની કારને એક સ્ટડીરૂમ બનાવ્યો છે. જેમાં તે મુસાફરી દરમિયાન અભ્યાસ કરે છે. કારણ કે મંત્રીને તેમના સરકારી કામો અને વ્યસ્ત શેડ્યૂલને કારણે વાંચવાની તક મળતી નથી. તેથી તેમણે રસ્તો કાઢ્યો છે અને કારમાં મુસાફરી દરમિયાન અભ્યાસ શરુ કર્યો છે.
સ્ટ્રીટ લાઈટ નીચે ભણવાવાળા લોકોને માને છે આદર્શ
નોંધનીય છે કે શિક્ષણમંત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાની કારમાં પુસ્તક વાંચતા નજરે પડે છે.
कुछ लोग पूछते हैं कि ,मैं इंटर की पढ़ाई कब करूंगा ? कैसे करूंगा ?
तो यह उनके ही लिए है। मैंने पुस्तकें खरीद ली हैं। जब - जहाँ अवसर मिलता है, पढ़ाई करता हूँ। महान लोगों ने ,सड़क किनारे स्ट्रीट लाइट के नीचे, कभी रेलवे प्लेटफॉर्म पर बैठ कर पढ़ाई की है। वे सभी प्रेरणास्रोत हैं मेरे। pic.twitter.com/hSRLSoHbKd
— Jagarnath Mahto (घर में रहें - सुरक्षित रहें) (@Jagarnathji_mla) September 16, 2020
મંત્રીએ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને તેમના અભ્યાસ અંગે જવાબ પણ આપ્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, "કેટલાક લોકો પૂછે છે કે હું ઇન્ટરનો અભ્યાસ ક્યારે કરીશ? કેવી રીતે કરીશ? તો આ ફક્ત તેમના માટે છે. મેં પુસ્તકો ખરીદ્યા છે, જ્યાં પણ તક મળે ત્યાં અભ્યાસ કરું છું, મહાન લોકો રસ્તાની કિનારે, સ્ટ્રીટ લાઇટની નીચે, ક્યારેક રેલ્વે પ્લેટફોર્મ પર બેસીને અભ્યાસ કરે છે, તે બધા મારી પ્રેરણાના સ્ત્રોત છે."
પોતાની જ વિધાનસભાની ઇન્ટર કોલેજમાં લીધો પ્રવેશ
55 વર્ષની ઉંમરના જગરનાથ મહતોએ મેટ્રિકની પરીક્ષા પાસ કર્યાના 25 વર્ષ બાદ ફરીથી ભણવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત તેમણે ગયા મહિને પોતાના જ ડુમરી વિધાનસભા ક્ષેત્રના નવાડીહ ઇન્ટર કોલેજમાં પ્રવેશ લીધો છે. આચાર્ય દિનેશ પ્રસાદ વર્ણવાલે ખુદ આર્ટ્સમાં શિક્ષણમંત્રીને એડમિશન આપ્યું હતું.
આ કારણથી ફરીથી ભણવાનો નિર્ણય કર્યો
શિક્ષણ મંત્રી જગરનાથ મહતોએ મેટ્રિક કર્યા પછી 1995માં અભ્યાસ છોડી દીધો હતો. હવે જ્યારે તેઓ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં રાજ્યના માનવ સંસાધન અને વિકાસ મંત્રી બન્યા ત્યારે વિપક્ષના લોકો ઘણી વાર તેમના શિક્ષણને લગતા મુદ્દાઓ ઉઠાવતા હતા. તેઓ કહેતા હતા કે હવે દસમું પાસ વ્યક્તિ રાજ્યનું શિક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા છે. તે પછી જ તેમણે નક્કી કર્યું હતું કે હવે તે વધુ અભ્યાસ કરશે.
જગરનાથ મહતોએ પોતે રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને એડમિશન લીધું હતું અને તે પેટે 1100 રૂપિયા ફીઝ પણ ભરી હતી. ત્યાર પછી શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે હવે હું મહેનત કરીને અભ્યાસ કરીશ કારણ કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી.