ઝારખંડના પલામૂ અને ગુમલામાં ચૂંટણીને લઈને આજે પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે. ઝારખંડમાં ચૂંટણીને લઈને PM મોદી આજે પહેલી વાર મુલાકાત લેશે. PM મોદી પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પણ અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે.
ઝારખંડમાં PM મોદી
ચૂંટણીને લઈને સંબોધશે જનસભા
પલામૂ અને ગુમલામાં સંબોધશે જનસભા
ઝારખંડમાં ભાજપ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. PM મોદી પણ આજે ઝારખંડમાં તેમની ચૂંટણીની રેલી સંબોધશે. ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ આદિવાસી બહુલ વિસ્તારથી મનિકા અને લોહરદગાની ધરતીથી 21 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી ચૂક્યા છે. પીએમ મોદી પણ આજે ઝારખંડના પલામૂ અને ગુમલામાં વિધાનસભા ચૂંટણીના બ્યૂગલ ફૂંકશે. બંને જગ્યાઓએ પીએમ મોદી જનસભા સંબોધશે.
PM મોદી 11.30 મિનિટે પલામૂમાં જનસભા સંબોધશે અને બપોરે 1.25 મિનિટે ગુમલામાં સભાને સંબોધન કરશે. આ રેલીમાં ભીડ રહેવાની સંભાવનાને કારણે સ્થાનીય પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાની પણ ખાસ વ્યવસ્થા કરી દીધી છે.
આ નેતાઓ પણ કરી ચૂક્યા છે પ્રચાર
ઝારખંડ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પાર્ટીના મોટા નેતાઓ પહેલાં જ આવી ચૂક્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ રવિવારે વિશ્રામપુર અને ભવનાથપુરમાં રેલી કરી ચૂક્યા છે જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ છતરપુર અને રંકામાં પોતાની રેલી કરી ચૂક્યા છે. બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઝારખંડમાં ચૂંટણીની રેલી કરી ચૂક્યા છે. પાર્ટી કાર્યકર્તાઓ પીએમ મોદીની જનસભાની રાહ જોઈ રહ્યા છે.
કેવી છે તૈયારીઓ?
ચૂંટણી આયોગે સ્વીકાર કર્યું છે કે ઝારખંડમાં માત્ર 81 બેઠકોને લઈને પાંચ ચરણમાં મતદાન કરવામાં આવે અને તે માટે સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવે. ઝારખંડમાં પ્રતિબંધિત નક્સલી સંગઠન ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સિવાય પણ અનેક નક્સલી સંગઠનના હથિયારબંદ કાફલા છે. જે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરે તેવી શક્યતા છે.
શું કહે છે નક્સલી ઘટનાઓના આંકડા?
આંકડા પર નજર કરીએ તો ઝારખંડ બન્યા બાદ 3 વિધાનસભાની ચૂંટણીમાં નક્સલી સંગઠન નાની મોટી ઘટનાઓને અંજામ આપીને પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ઝારખંડમાં પહેલી વાર 2005માં થયેલી ચૂંટણામાં રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં 19 નક્સલી ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 2009માં 2 ડઝનથી પણ વધારે ઘટનાઓ નોંધાઈ છે. 2014માં વિધાનસભાની ચૂંટણીમાં નક્સલી વારદાતની 15 ઘટનાઓ જોવા મળી હતી.