ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ( Amit Shah ) એ ઝારખંડમાં ચૂંટણી સભામાં કહ્યું કે કોંગ્રેસ અને જ્ઞામુમો અહીં સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ હેમંતે ક્યારેય કોંગ્રેસને એ ન પૂછ્યું કે કોંગ્રેસે ઝારખંડની સ્થાપના માટે શું કર્યું. 60 વર્ષના શાસનમાં અંતે કોંગ્રેસે ઝારખંડને શું આપ્યું. શાહે કહ્યું કે હવે અમારી સીમામાં આલિયા-માલિયા-જમાલિયા ઘુસતા નથી. હવે મૌની બાબાનો જમાનો નથી, આ મોદીજીની સરકાર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઝારખંડમાં ચૂંટણી સભામાંને કર્યું સંબોધન
અમિત શાહે કહ્યું, હવે મૌની બાબાનો જમાનો નથી, આ મોદીજીની સરકાર છે
કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે અમે અનુચ્છેદ 370ને ખતમ કરીને અમારી મંશા જાહેર કરી છે. કોંગ્રેસની તમામ અડચણો બાદ પણ સુપ્રીમ કોર્ટના આદેશથી અયોધ્યામાં હવે ભવ્ય રામ મંદિર બનવાનો રસ્તો સ્પસ્ટ થઇ ગયો છે. અમિત શાહ અહીં ભાજપની સત્તા વાપસી મિશનને ધાર આપવા પહોંચ્યા. તેઓએ ચતરા અને ગઢવામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે રામ મંદિરની સુનાવણી આગળ વધારવામાં આવે. કોંગ્રેસે અયોધ્યા મુદ્દાને હંમેશા લટકાવીને રાખ્યો. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે તો હું આપને આશ્વસ્ત કરુ છું કે દુનિયાનું સૌથી ભવ્ય મંદિર અયોધ્યામાં બનશે. ભગવાન શ્રીરામની કૃપાથી અહીં આકાશે આંબતા મંદિરનું નિર્માણ જલ્દી જ શરૂ કરાશે.
અમિત શાહે કહ્યું કે કેન્દ્નની મોદી સરકારે કોંગ્રેસની યૂપીએ શાસનથી છ ગણા પૈસા ઝારખંડના વિકાસ માટે આપ્યા. રેલવેમાં પણ ઝારખંડમાં ઘણા પ્રોજેક્ટ શરૂ થયા. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં મૌની બાબાની ચુપ્પીથી આલિયા-માલિયા-જમાલિયા ભારતમાં રોજ ઘુસતા હતા. અમારા જવાનોના માથા કાપીને લઇ જતા હતા. ઉરી પુલવામા હુમલા બાદ અમારા એર સ્ટ્રાઇકે પાકિસ્તાનમાં ઘુસીને આંતકીઓને ખુવાર કરી દીધા. હવે ભારત પર કોઇ આંખ ઉઠાવીને જોશે તો, અમે તેમની આંખ નીકાળી લઇશું.
અમિત શાહે કહ્યું કે, શું આપ ઇચ્છો છો કે કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની રહે. કોંગ્રેસ કહે છે કે કાશ્મીરમાં અનુચ્છેદ 370 અમે હટાવ્યું. મોદી સરકાર આપે બનાવી તો ભોલેશંકરની કૃપાથી અમે કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડી દીધું. હું તેમને બતાવવા માંગુ છું કે, એકવાર મત પેટી ખુલશે તો તેઓને ખબર પડી જશે કે ઝારખંડની જનતા શું ઇચ્છે છે.