ઝારખંડના પલામૂ જિલ્લામાં એક યુવાનને સોશિયલ ડિસ્ટેન્સિંગની સલાહ આપવાને પગલે માર મારવાને કારણે મોત થયું છે. કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણને રોકવા માટે 45 વર્ષના યુવકે સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવવા પોતાના ગામના લોકોને કહી રહ્યો હતો. પરંતુ ગામના લોકોએ યુવાનને સાંભળવાને બદલે તેને માર માર્યો હતો.
ઝારખંડના પલામૂમાં એક યુવાનનું સોશિયલ ડિસ્ટેન્સિંગની સલાહ આપવા પર માર મારવાથી મોત
45 વર્ષના યુવાને ગામના ચાર લોકોને બહાર ન નીકળવાની સલાહ આપી હતી
ગામ લોકોના માર મારવાને કારણે ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત થઇ ગયું. આ ઘટના બુધવારે પલામૂ જિલ્લાના ચાક ઉદયપુરની છે. 45 વર્ષના યુવાન કાશી સાવે ગામના ચાર લોકોને ગામમાંથી બહાર નીકળવાની જગ્યાએ ઘરમાં ક્વારન્ટાઇન રહેવાની સલાહ આપી હતી.
કાશી એક કરીયાણાની દુકાન ચલાવતો હતો અને આ હુમલાખોરો તેની દુકાને પહોંચ્યા હતા, ત્યારબાદ ત્યાં તોડફોડ કરી હતી. અહીં તેને માર મારવામાં આવ્યો અને બાદમાં ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જોકે ગંભીર ઇજા થવાને પગલે કાશી સાવે દમ તોડી નાંખ્યો.
દેશના પીએમ મોદીએ મંગળવારે રાત્રે 8 વાગ્યે આખા દેશમાં લૉકડાઉન કરવાનું એલાન કર્યું હતું. પીએમ મોદીએ સૌને હાથ જોડીને વિનંતી કરી હતી કે તમામ લોકો પોતાના ઘરોમાં 21 દિવસ માટે હોમ ક્વારન્ટાઇન થઇ જાય. જોકે, દેશના ઘણા ભાગોમાં તેનુ પાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ઘણા તેને માનવાથી ઇનકાર કરતા ઘરોથી બહાર નીકળી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 664 કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોનું મોત થઇ ચૂક્યું છે. જ્યારે 43 લોકો કોરોના વાયરસથી ઠીક થઇ ચૂક્યા છે.